ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ એક મંચ પર

ખોડલધામ ચેરમેન નરેશ પટેલ (Naresh Patel) છેલ્લા કેટલાક સમયથી ભાજપ નેતાઓ સાથે જોવા મળી રહ્યાં છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાના હોવાની ચર્ચાઓ વચ્ચે છેલ્લા ભાજપના નેતાઓની સાથે જોવા મળી રહ્યા હોવાથી નવી અટકળો શરૂ થઈ છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ એક મંચ પર
C. R. Patil and Naresh Patel at Jamnagar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 2:55 PM

ગુજરાત (Gujarat) ના રાજકારણને લઈ સૌથી મહત્વના સમાચાર આવ્યા છે. ભાજપ (BJP) ના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ (C. R. Patil) અને ખોડલધામ (Khodaldham) ના ચેરમેન નરેશ પટેલ (Naresh Patel) એક સાથે એક ધાર્મિક કાર્યક્રમમાં એકસાથે મંચ પર જોવા મળ્યાં હતા. જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના પરિવાર દ્વારા આયોજીત ભાગવત સપ્તાહમાં પાટીલ અને પટેલ એક સાથે ઉપસ્થિત રહેતા અનેક નવી અટકળો શરૂ થઈ છે. આ સમારોહમાં ભાજપના સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય આર. સી. ફળદુ સહિતના આગેવાનો પણ હાજર રહ્યાં હતા. ખોડલધામ ચેરમેન નરેશ પટેલ છેલ્લા કેટલાક સમયથી ભાજપ નેતાઓ સાથે જોવા મળી રહ્યાં છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાના હોવાની ચર્ચાઓ વચ્ચે છેલ્લા ભાજપના નેતાઓની સાથે જોવા મળી રહ્યા હોવાથી નવી અટકળો શરૂ થઈ છે.

જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા આયોજીત ભાગવત સપ્તાહના પહેલા દિવસે પણ નરેશ પટેલ અને ભાજપના નેતાઓ એકસાથે જોવા મળ્યાં હતા. આ સમયે ભાજપ નેતા શંભુપ્રસાદ ટુંડિયા, અલ્પેશ ઠાકોર અને નરેશ પટેલ એક બગીમાં સવાર થયા હતા. ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું સામાજીક અને રાજકીય આગેવાનો સાથે સારા સંબંધ હોવાથી ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહેવા સૌને આમંત્રણ આપ્યું છે. તો ભાજપ નેતા વરૂણ પટેલે કહ્યું કે સંજોગોવસાત બંને આગેવાનો એક કાર્યક્રમમાં એક જ સમયે હાજર રહ્યાં છે. વરૂણ પટેલે ગુજરાતની જનતાને બહુ જ સારા સમાચાર ટૂંકા સમયમાં મળશે તેવો આશાવાદ પણ વ્યકત કર્યો.

જામનગર શહેરમાં ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ના ચતુર્થ દિવસીય સત્રમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કથા શ્રવણ માટે પધાર્યા હતા, અને તેઓએ પ્રખર ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈના ચરણોમાં વંદન કરીને તેઓની દિવ્યવાણીથી રાજકારણીઓનું કલ્યાણ થાય છે, અને જો રાજકીય આગેવાનોનું કલ્યાણ થશે, તો જ પ્રજાનું પણ કલ્યાણ થશે, તેવી વાત કરી હતી. ઉપરાંત યજમાન પરિવાર દ્વારા પ્રતિદિન આરતી સહિત અનેક કાર્યક્રમોમાં સમરસતાના કાર્યો કરવામાં આવી રહ્યા છે, તે કાર્યોને સરકાર દ્વારા ખાસ પોલીસી બનાવી તેનો અમલ કરવાની જરૂર છે, તેમ પણ જણાવ્યું હતું. જ્યારે ગઈકાલની પરશુરામ જયંતિ ની તિથિ કે તે પર્વની ગુજરાતમાં રજા જાહેર કરવાની મુખ્યમંત્રીના કાળમાં પોતે પહેલ કરી હતી, જે હજુ ચાલુ છે. તેમ પણ જણાવ્યું હતું.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">