JAMNAGAR : દેશમાં 100 સૈનિક સ્કૂલ કાર્યરત કરવાની સરકારની તૈયારી
ગત વર્ષની જેમ આ વર્ષે પણ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવા જઈ રહી છે. સૈનિક સ્કૂલ બાલાચડીમાં શૈક્ષણિક સત્ર 2022-23માં પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયા થાય છે.
દેશમાં વધુ 100 સૈનિક સ્કૂલ કાર્યરત કરવાની સરકારની તૈયારીઓ. હાલ માત્ર દેશભરમાં 33 સૈનિક સ્કૂલ કાર્યરત છે. વધુ બાળકોને દેશની સુરક્ષા એજન્સીઓમાં સ્થાન મળી શકે અને બાળકોને રક્ષણ માટેનુ શિક્ષણ આપવામાં આવે તે હેતુથી વધુ 100 સૈનિક સ્કૂલ કાર્યરત કરવાની કેન્દ્ર સરકારની તૈયારી છે.
સૈનિક સ્કૂલમાં શિક્ષણ મેળવી બાળકોને એનડીએ અને બાદ દેશની વિવિધ સુરક્ષા એજન્સીમાં સ્થાન મળે છે. દેશ સેવા માટે સુરક્ષા એજન્સીઓમાં સેવા કરવાના સપના સેવતા બાળકોને માટે સૈનિક સ્કૂલ પ્રવેશદ્રાર ગણવામાં આવે છે. હાલ સૈનિક સ્કૂલમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. ધોરણ -6 અને ધોરણ 9માં પ્રવેશ વિધાર્થીઓને આપવામાં આવે છે. પરંતુ 70 સીટની સામે 2 હજાર જેટલા અરજદાર આવતા અન્ય વિધાર્થીઓને નિરાશ થવુ પડે છે. તેથી સરકારે વધુ વિધાર્થીઓને પ્રવેશ મળી શકે અને તાલીમ સાથેની શિક્ષણ મળી શકે તે માટે આવી 100 સૈનિક સ્કૂલ કાર્યરત કરવાની તૈયારીઓ કરી છે. જેમાં માટેને સીલેબ્સ સહીતની કામગીરી પુર્ણ કરી છે. અને પીપીપી પ્રોજેકટથી દેશમાં 100 નવી સૈનિક સ્કૂલ આગામી 1થી 2 વર્ષમાં કાર્યરત કરાશે.
સરકાર દ્રારા મિલ્ટ્રીરી શિક્ષણ પર ભાર મુકવામાં આવે છે. અને તે માટે વધુ સંખ્યામાં વિધાર્થીઓને પ્રવેશ અને શિક્ષણ આપી શકાય તે હેતુથી પીપીપી પ્રોજેકટ મુજબ નવી સૈનિક સ્કૂલ કાર્યરત કરવાની તૈયારીઓ ચાલે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 100 ડ્રીમ પ્રોજેકટમાં આ પ્રોજેકટનો સમાવેશ હોવાથી પ્રોજેકટને વધુ ઝડપી અમલી બનાવવા માટેના પ્રયાસો વધુ તેજ થયા છે. સૈનિક સ્કૂલ વધુ તૈયાર થતા જ વધુ બાળકોને મિલ્ટ્રરી શિક્ષણ મેળવી શકશે. અને દેશની સુરક્ષા કરતી એજન્સીમાં સેવા કરવાની તકનો માર્ગ મોકળો થશે.
કોરોનાની બીજી લહેર પછી સૈનિક સ્કૂલ બાલાચડીમાં પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ
કોરોનાના કારણે એક વર્ષથી વધુ સમયના લાંબા અંતરાલ પછી વિદ્યાર્થીઓનું પ્રત્યક્ષ શિક્ષણ ચાલું થઈ રહ્યું છે. હવે જનજીવન પણ રાબેતા મુજબ આગળ વધી રહ્યું છે. આ સમયે સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે.
ગત વર્ષની જેમ આ વર્ષે પણ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવા જઈ રહી છે. સૈનિક સ્કૂલ બાલાચડીમાં શૈક્ષણિક સત્ર 2022-23માં પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયા થાય છે. 27 સપ્ટેમ્બર 2021 થી 26 ઓક્ટોબર 2021 સુધી નેશનલ ટેસ્ટિંગ એજન્સીની વેબસાઈટ પર તેમના ફોર્મ ભરાશે. પ્રવેશ પરીક્ષા 09 જાન્યુઆરી 2022 (રવિવાર) ના રોજ યોજાશે. રસ ધરાવતા ઉમેદવારો વિગતવાર માહિતી અને ઓનલાઇન અરજી કરવા માટેhttps://aissee.nta.nic.in તથાસ્કૂલની વેબસાઇટ https://www.ssbalachadi.orgપર મુલાકાત લઇ શકે છે.
ધોરણ-૬ (છોકરાઓ અને છોકરીઓ) અને ધોરણ- ૯ (માત્ર છોકરાઓ) માટે પ્રવેશ પ્રક્રિયા ચાલું છે. ધોરણ-૬માટે લેખિત પરીક્ષાનો સમયગાળો 150 મિનિટ અને ધોરણ ૯માટે 180 મિનિટનો છે. પ્રવેશ પરીક્ષા ગુજરાતના ત્રણ અલગ અલગ કેન્દ્રો પર યોજાશે. આ કેન્દ્રમાં અમદાવાદ, બાલાચડી અને સુરતનો સમાવેશ થાય છે.
ધોરણ-૬માં પ્રવેશ માટે લેખિત પરીક્ષામાં ગણિત, બૌદ્ધિક કસોટી, ભાષા અને સામાન્ય જ્ઞાનના પ્રશ્નો હોય છે અને ધોરણ ૯માટે ગણિત, બૌદ્ધિક કસોટી, અંગ્રેજી, સામાન્ય વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન માંથી પૂછવામાં આવે છે.