ઈશરત જહાં કેસમાં જેલવાસ ભોગવનારા વણઝારા અને એન.કે અમીનની ડિસ્ચાર્જ અરજી પર CBI કોર્ટનો ચુકાદો
ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ મામલે એન.કે.અમીન અને ડી.જી વણઝારાની ડિસ્ચાર્જ અરજી પર CBI કોર્ટનો ચુકાદો ગુજરાતનો બહુચર્ચિત એવો ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ મામલે મહત્વનો ચુકાદો આવ્યો છે. એન.કે.અમીન અને ડી.જી વણઝારાની ડિસ્ચાર્જ અરજી પર CBI કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. કોર્ટે આ અરજીને મંજૂર કરી છે. કોર્ટે કહ્યું કે, બંને સામે 197 મુજબ કાર્યવાહી નહીં […]
ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ મામલે એન.કે.અમીન અને ડી.જી વણઝારાની ડિસ્ચાર્જ અરજી પર CBI કોર્ટનો ચુકાદો
ગુજરાતનો બહુચર્ચિત એવો ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ મામલે મહત્વનો ચુકાદો આવ્યો છે. એન.કે.અમીન અને ડી.જી વણઝારાની ડિસ્ચાર્જ અરજી પર CBI કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. કોર્ટે આ અરજીને મંજૂર કરી છે. કોર્ટે કહ્યું કે, બંને સામે 197 મુજબ કાર્યવાહી નહીં કરાઈ. જેથી ડીજી વણઝારા અને એન.કે અમીનની ડિસ્ચાર્જ અરજી મંજૂર કરી છે. 15 હજારના બોન્ડ પર જામીન અરજી મંજૂર કરાઈ છે.
રાજ્ય સરકારે કેસ ચલાવવાની મંજૂરી આપી ન હતી. જેથી આજે સીબીઆઈ કોર્ટ દ્વારા બંનેને મુક્ત કર્યાં છે. આગામી દિવસોમાં બંને અધિકારીઓ સામે કોઈ પણ કેસ ચાલશે નહિ. આ ચુકાદા બાદ બંને અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. લાંબી લડત બાદ બંને અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. બંને પક્ષ તરફથી કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ હતી. બંને પૂર્વ પોલીસ અધિકારીઓએ ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસ મામલે પોતાની વિરુદ્ધ કાર્યવાહી બંધ કરવાની માગ કરી હતી.
ઈશરત જહાં કેસમાં ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી માટે ડી.જી.વણઝારા પોતાના નિવાસ સ્થાનથી કોર્ટમાં જવા નીકળ્યા હતા. ત્યારે જ આશા વ્યકત કરી હતી કે, તેમને ભૂતકાળમાં પણ પોઝિટીવ પરિણામ મળ્યા છે. અને આગળ પણ પોઝિટીવ પરિણામ મળશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]