છૂટછાટ પડી ભારે? બીજી લહેર બાદ લોકો અને તંત્ર બન્યા હતા બેદરકાર, હવે રાજ્યમાં વધ્યા કોરોનાના કેસ

Gujarat: ભારે છૂટછાટમાં મોટી બેદરકારી સાથે ગુજરાતમાં તહેવાર ઉજવવામાં આવ્યો. જેની અસર હવે કોરોના સ્વરૂપે જોવા મળી રહી છે. રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 11:54 AM

રાજ્યમાં દિવાળીના (Diwali 2021) તહેવારો દરમિયાન લોકો અને તંત્રની બેદરકારીએ ફરીથી કોરોનાને (Corona) આમંત્રણ આપ્યું છે. ચાર મહિના બાદ પહેલીવાર એક જ દિવસમાં કોરોનાના 42 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં (Ahmedabad) સૌથી વધુ 16 કેસ નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોથી નવા નોંધાતા કેસની સામે ડિસ્ચાર્જ થતા દર્દીઓનું પ્રમાણ ઘટી રહ્યું હોવાથી એક્ટિવ કેસોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. રાજ્યમાં એક્ટીવ કેસની (Corona In Gujarat) સંખ્યા 215 પર પહોંચી ગઈ છે. ગઈકાલે અમદાવાદમાં 16, સુરત અને વલસાડમાં 5-5, વડોદરામાં 4, જૂનાગઢ, રાજકોટ અને મોરબીમાં 2-2, આણંદ, ભરૂચ, ગીર-સોમનાથ, જામનગર, કચ્છ, તાપીમાં 1-1 કેસ નોંધાયો છે.. આ સિવાયના 20 જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. નવા 42 કેસ સામે 36 દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

તો જણાવી દઈએ કે તહેવારોમાં આપવામાં આવેલી છૂટછાટ ભારે પડી રહી હોય એમ લાગી રહ્યું છે. કોરોનાના કેસો ઘટવાને કારણે તહેવારોમાં છૂટછાટો અપાઈ હતી. દિવાળીમાં બજારો, પર્યટન સ્થળો, મંદિરોમાં ભારે ભીડ જામી હતી. તપ કોરોનાના કેસ ઘટતાં લોકો અને તંત્ર બેદરકાર બની ગયા હતા. લોકો માસ્ક ન પહેરીને દિવાળી પહેલા બજારોમાં ખરીદી કરતા જોવા મળ્યા. તો માસ્ક ન પહેરનાર સામે દંડનીય કાર્યવાહી પણ ઓછી કરવામાં આવી હતી. માસ્ક પહેર્યા વિના બજારમાં ફરીને લોકોએ ફરી કોરોનાને નોતર્યો હોય તેવું દ્રશ્ય સર્જાયું છે. સરકારે આપેલી છૂટછાટોનો લોકોએ દૂરુપયોગ કર્યાનું આ પરિણામ છે કે કેસ હવે વધી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં બેદરકારી ભારે પડી શકે છે.

 

આ પણ વાંચો: Gujarat: CM ભૂપેન્દ્ર પટેલ 16 જિલ્લાના પ્રવાસે, આજે નર્મદા અને તાપી ખાતે વિવિધ કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત

આ પણ વાંચો: Navsari: ગ્રીડ પાસે આવેલ ગેસ લાઈનમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડ પહોંચી ઘટના સ્થળે

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">