ગરમીનો કહેર અને પાણીનો પોકારઃ રાજ્યના 180 ડેમમાં પાણીની છે આવી પરિસ્થિતિ, સૌરાષ્ટ્રમાં વધુ વિકટ સ્થિતિ
રાજ્યમાં આગ ઝરતી ગરમીને પગલે મોટાભાગના ડેમ કોરાધાકોર થઈ ગયા છે. ખેડૂતોને એક તરફ સિંચાઈનું પાણી મળતું નથી. તો અંતરિયાળ ગામડાઓના લોકો પાણી માટે રઝળપાટ કરી રહ્યાં છે. ગુજરાત જળસંપત્તિ વિભાગના આંકડા પ્રમાણે રાજ્યના ડેમમાં માંડ 19.72 ટકા જ પાણીનો જથ્થો હાલમાં હયાત છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 28.29 ટકા જેટલો પાણીનો જથ્થો હતો. […]
રાજ્યમાં આગ ઝરતી ગરમીને પગલે મોટાભાગના ડેમ કોરાધાકોર થઈ ગયા છે. ખેડૂતોને એક તરફ સિંચાઈનું પાણી મળતું નથી. તો અંતરિયાળ ગામડાઓના લોકો પાણી માટે રઝળપાટ કરી રહ્યાં છે. ગુજરાત જળસંપત્તિ વિભાગના આંકડા પ્રમાણે રાજ્યના ડેમમાં માંડ 19.72 ટકા જ પાણીનો જથ્થો હાલમાં હયાત છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 28.29 ટકા જેટલો પાણીનો જથ્થો હતો. એટલે કે ગત વર્ષની સરખામણીએ પાણીની સ્થિતિ વધારે ચિંતાજનક છે. રાજ્યના સૌથી મોટા અને જીવાદોરી સમાન નર્મદા સરદાર સરોવર ડેમમાં 51.25 ટકા પાણીનો સંગ્રહ છે. મધ્યપ્રદેશમાંથી થતી પાણીની આવકને કારણે સરદાર સરોવરમાં અત્યારે 1.71 લાખ એસીએફટી પાણીનો સંગ્રહ થયો છે.
રાજ્યના 203 પૈકી 180 ડેમમાં 25 ટકા કરતા પણ ઓછું પાણી બચ્યું છે. જેમાં સૌરાષ્ટ્રની સ્થિતિ વધુ વિકટ છે. સૌરાષ્ટ્રના 138 ડેમમાં માત્ર 9 ટકા જ પાણી વધ્યું છે. વાત ઉત્તર ગુજરાતની કરીએ તો 15 ડેમમાં 15 ટકાનો જથ્થો છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 43 ટકા અને દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 17 ટકા જ પાણીનો જથ્થો બાકી બચ્યો છે. ડેમમાં ગત વર્ષની તુલનાએ 4.58 ટકા જ પાણીનો ઓછો જથ્થો છે. રાજ્યમાં ચોમાસુ ખેંચાશે તો પાણીનું સંકટ વધુ વિકટ થવાનો વર્તારો છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]