કોરોનાકાળમાં 23 નવેમ્બરથી ધો. 9થી 12ની શાળા શરૂ કરવા શાળા સંચાલકો-શિક્ષકો તૈયાર
કોરોનાકાળ બાદ, આગામી 23 નવેમ્બરથી ધો.9, 10, 11 અને 12ની શાળાઓ શરુ કરવા માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. કોરોનાકાળમાં શરૂ થઈ રહેલી શાળાઓ માટે 56 પાનાની એસઓપી તૈયાર કરીને સરકારે દરેક શાળા સંચાલકોને મોકલી આપી છે. આ 56 પાનાની એસઓપી વાંચવી અને તેને સમજવી શાળા સંચાલકો માટે હાલ મુશ્કેલ છે. છતા, શાળા સંચાલકો ધોરણ […]
કોરોનાકાળ બાદ, આગામી 23 નવેમ્બરથી ધો.9, 10, 11 અને 12ની શાળાઓ શરુ કરવા માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. કોરોનાકાળમાં શરૂ થઈ રહેલી શાળાઓ માટે 56 પાનાની એસઓપી તૈયાર કરીને સરકારે દરેક શાળા સંચાલકોને મોકલી આપી છે. આ 56 પાનાની એસઓપી વાંચવી અને તેને સમજવી શાળા સંચાલકો માટે હાલ મુશ્કેલ છે. છતા, શાળા સંચાલકો ધોરણ 9થી 12ના વર્ગો શરુ કરવા તૈયાર છે.
ત્રણ ત્રણ દિવસની બેંચમાં ધોરણ 9-10 અને 11-12ના વિદ્યાર્થીઓને બેસાડવાનુ નક્કી કર્યુ હોવાનું સુરતની શાળાના સંચાલકનું કહેવું છે. વાલીની સહમતીપત્રક નહી હોય તો વિદ્યાર્થીને શાળામાં પ્રવેશ નહી આપવામાં આવે તેમ પણ શાળા સંચાલકે જણાવ્યુ છે. શાળા દ્વારા જે તૈયારી કરવાની છે તે શાળા સંચાલકો દ્વારા કરાઈ છે. વર્ગ વ્યવસ્થા, વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ વગેરે અંગે આયોજન કરાયુ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો