સુરતમાં ભાજપના સંસદસભ્યનો કાર્યકરોએ કર્યો વિરોધ, કોરોનાના કેસ ઘટતા બહાર નિકળ્યાનો વ્યક્ત કરાયો આક્રોશ

હવે જ્યારે કોરોનાની લહેર ઓછી થઈ છે ત્યારે ભાજપના સાંસદ ( BJP MP) ઘરની બહાર નીકળ્યા હોવાનો ભાજપના જ કાર્યકરો જાહેરમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સુરતમાં ભાજપના સંસદસભ્યનો કાર્યકરોએ કર્યો વિરોધ, કોરોનાના કેસ ઘટતા બહાર નિકળ્યાનો વ્યક્ત કરાયો આક્રોશ
સુરતમાં ભાજપના સંસદસભ્યનો પ્રજાએ કર્યો વિરોધ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 12, 2021 | 8:25 PM

રાજ્યભરમાં કોરોના મહામારીએ લોકોને પોતાના ભરડામાં લીધા છે. ત્યારે કોરોનાની આ બીજી લહેરમાં અસંખ્ય લોકોને પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. દર્દીઓની સંખ્યા સામે ઉપલબ્ધ મેડિકલ સહાય ટાંચી પડી છે. જેના કારણે લોકોમાં કંઈક અંશે રોષ પણ જોવા મળી રહ્યો છે.

સરકાર સમક્ષ હોસ્પિટલોમાં ઓછા બેડ, પૂરતી દવાઓનો જથ્થો, મેડિકલ સ્ટાફ, ઓક્સિજનની સમસ્યા સહિત રજૂઆતો પણ કરવામાં આવી છે. છતાં લોકોની ફરિયાદો પર પૂરું ધ્યાન આપવામાં આવ્યું નથી.

ચૂંટણી સમયે લોકોની પાસે વોટ માંગવા લોકોની વચ્ચે જતા કેટલાક નેતાઓ કોરોનાના સમયમાં ગાયબ થઈ ગયા હોય તેવી પણ ફરિયાદો સામે આવી હતી. લોકો જ્યારે કોરોનાથી મરી રહ્યા હોય ત્યારે તેમની મદદે સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટર આગળ ન આવ્યા હોવાની પણ બૂમ ઉઠવા પામી છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

આજે સુરતના પુણા વિસ્તારમાં આવો જ એક લોક આક્રોશ જોવા મળ્યો હતો બારડોલીના સાંસદ પરભુ વસાવા સામે. પુણા વિસ્તારમાં પટેલ સમાજની વાડીમાં ઉભા કરવામાં આવેલા આઇસોલેશન સેન્ટરની મુલાકાતે આજે બારડોલીના સાંસદ પરભુ વસાવા પહોંચ્યા હતા ત્યારે તેમને ખુદ ભાજપના જ કાર્યકરો અને સમર્થકોનું ખરું ખોટું સાંભળવાનો વારો આવ્યો હતો.

ભાજપ સંગઠન મંત્રી મહેશ હિરપરાના જણાવ્યા પ્રમાણે તેમને પોતાના સંબંધીને કોરોનાની સારવાર માટે રેમડેસીવર ઇન્જેક્શનની જરૂર હતી. જે માટે તેમણે પોતાના વિસ્તારના સ્થાનિક નગરસેવક, ધારાસભ્યથી લઈને સાંસદને પણ ફોન કર્યા હતા. પણ તેમને ફોન ઊંચકવાની તસ્દી લીધી ન હતી.

હવે જ્યારે કોરોનાની લહેર ઓછી થઈ છે ત્યારે સાંસદ ઘરની બહાર નીકળ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. આવી તો લોકોની અસંખ્ય ફરિયાદો છે જેનો ઉભરો આજે સાંસદ પરભુ વસાવા સામે નીકળ્યો હતો. ભાજપના જ કાર્યકરો અને સમર્થકોએ જાહેરમાં સાંસદ સમક્ષ પોતાનો બળાપો ઠાલવ્યો હતો. જેના કારણે સાંસદે નીચું મોઢું કરીને સ્થળ છોડી દેવાની ફરજ પડી હતી.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">