રાજકોટમાં પોલીસે કૃષિ બીલનાં વિરોધમાં ધરણાંને મંજૂરી આપી, 200 લોકોની સભા યોજી શકાશે
રાજકોટમાં ખેડૂત આંદોલનના હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ પોલીસે આજે આંદોલન માટે મંજૂરી આપી દીધી છે. જો કે પોલીસે કોરોનાની એસઓપીને આધારે 200 લોકોની સભા યોજવાની મંજૂરી આપી છે,
Rajkot માં ખેડૂત આંદોલનના હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ પોલીસે આજે આંદોલન માટે મંજૂરી આપી દીધી છે. જો કે Rajkot પોલીસે કોરોનાની એસઓપીને આધારે 200 લોકોની સભા યોજવાની મંજૂરી આપી છે, જેમાં પાલ આંબલિયા,ડાહ્યાભાઇ ગજેરા,ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સહિત ખેડૂત સંઘર્ષ સમિતી દ્રારા તેનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કૃષિબિલના વિરોધમાં આંદોલનનું આયોજન નવા 150 ફૂટ રિંગરોડ પર કરવામાં આવશે. આ આંદોલનની શરૂઆત 22 જાન્યુઆરીના રોજથી કરવામાં આવશે.
જો કે આ પૂર્વે આજે સવારે આંદોલન માટે ગયેલા ખેડૂત અગ્રણીઓની પોલીસે અટકાયત કરી હતી. તેની બાદ સાંજે આંદોલન સમિતિએ આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. તેમજ તેની બાદ પોલીસ આંદોલન માટે મંજૂરી આપી હતી.