Uttarayan 2021ની ઉજવણી કરવા માટે વાંચી લો સરકારની આ ગાઈડલાઈન્સ
કોરોના મહામારીએ માનવીના જીવન સહિત વાર-તહેવારોની પરિભાષાઓ પણ બદલી નાખી છે. આ વર્ષે મકરસંક્રાંતિની ઉજવણી પણ સરકારની ગાઈડલાઈન્સ મુજબ કરવી પડશે.
કોરોના મહામારીએ માનવીના જીવન સહિત વાર-તહેવારોની પરિભાષાઓ પણ બદલી નાખી છે. આ વર્ષે મકરસંક્રાંતિની ઉજવણી પણ સરકારની ગાઈડલાઈન્સ મુજબ કરવી પડશે. જે રીતે પહેલા આગશીઓ પર પતંગો ચગાવવાની સાથે સાથે ધમાલ થતી હતી, તેને આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. ઉજવણી બાદ કોરોના સંક્રમણ ફરીથી માથું ન ઉચકે તે માટે થઈને ગુજરાત સરકારે મકરસંક્રાંતિની ઉજવણી માટે એક ખાસ માર્ગદર્શિકા બહાર પાડી છે. સરકારે બહાર પડેલા ઉજવણીના નિયમો પતંગ રસિયાઓને અને તહેવાર ઉજવણીના શોખીનોને ક્યાંકને ક્યાંક નિરાશ કરી રહ્યા છે તો ચાલો જાણીએ શું છે Uttarayan-2021ના નિયમો.
- જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો, રસ્તાઓ પર પતંગ ન ચગાવવી.
- ઉજવણી સમયે સોસાયટી, ફ્લેટ કે એપાર્ટમેન્ટમાં પરિવારના અંગત સભ્યોએ જ હાજર રહેવું.
- ફ્લેટ, એપાર્ટમેન્ટ કે મકાનની અગાશી પર માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું.
- અગાશી પર મર્યાદિત લોકો જ હાજર રહી શકશે.
- સોસાયટી, ફ્લેટ કે એપાર્ટમેન્ટમાં બહારના લોકોને પ્રવેશ આપવો નહીં.
- શરતોનો ભંગ થશે તો સેક્રેટરી કે જવાબદાર વ્યક્તિ સામે પગલા લેવાશે.
- મકાન, ફ્લેટની અગાશી, સોસાયટીના મેદાનમાં લાઉડ સ્પીકર, ડીજે કે મ્યુઝિક સિસ્ટમ વગાડવા નહીં.
- 65 વર્ષથી વધુ વયના, અન્ય રોગથી પીડાતા, સગર્ભા મહિલા, 10 વર્ષથી નાના બાળકો ઘરમાં રહે.
- સુલેહ શાંતિનો ભંગ થાય તેવા સૂત્રો, ચિત્રો પતંગ પર લખવા કે દોરવા નહીં.
- ચાઈનીઝ તુક્કલ, સિન્થેટિક દોરી, માંજા પાયેલી અને પ્લાસ્ટિકની દોરી પર રોક.
- કોવિડ અંગેની કેન્દ્ર કે રાજ્ય સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવું.
- કેન્દ્રીય ગૃહવિભાગના 09.10.20ના હુકમના દિશા-નિર્દેશોનું પાલન કરો.
- અમદાવાદ, વડોદરા, રાજકોટ સુરતમાં કમિશનરે વિસ્તારમાં જ્યાં કર્ફ્યૂ છે, તેનું પાલન થશે.
પતંગબજારમાં ખરીદી અને વેચાણ મુદ્દે સરકારની ટકોર-
- પતંગબજારમાં કોરોનાની માર્ગદર્શિકાનું કડક પાલન કરવું.
- પોલીસ સતત હાજર રહેશે અને તેને સહકાર આપવો.
- અમદાવાદમાં રાયપુર, ટંકશાળ, નરોડા વગેરે સ્થળ પરની પતંગબજાર પર નજર.
આ પણ વાંચો: Teslaને ટક્કર આપવા હવે Apple બનાવશે E-Car, જાણો સંપૂર્ણ વિગત