અંતરિક્ષમાંથી કંઈક આવુ દેખાઈ છે ગુજરાત, સેટેલાઈટ ઈમેજ જોઈ ગદગદ થયા PM મોદી, ફોટો શેયર કરી કહી આ વાત
વડાપ્રધાને ટ્વિટર પર ગુજરાતના અવકાશ દૃશ્યની તસવીરો શેર કરી અને કેપ્શન આપ્યું - 'તમે તાજેતરમાં લોન્ચ કરાયેલ EOS-06 સેટેલાઇટમાંથી આકર્ષક ચિત્રો જોયા છે? ગુજરાતની કેટલીક સુંદર તસવીરો શેર કરી રહ્યાં છીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સ્પેસ એજન્સી ISROના નવા સેટેલાઈટ EOS-06 દ્વારા કેપ્ચર કરેલી તસવીરો શેયર કરી હતી, જે ગયા અઠવાડિયે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને ટ્વીટર પર ગુજરાતના અવકાશ દૃશ્યની તસવીરો શેર કરી, અને કેપ્શન આપ્યું – ‘તમે તાજેતરમાં લોન્ચ કરાયેલ EOS-06 સેટેલાઇટમાંથી આકર્ષક ચિત્રો જોયા છે? ગુજરાતની કેટલીક સુંદર તસવીરો શેર કરી રહ્યાં છીએ.
વડાપ્રધાને ગુજરાતનું સેટેલાઈટ વ્યૂ દર્શાવતી ચાર તસવીરો શેયર કરી અને કહ્યું, “સ્પેસ ટેક્નોલોજીની દુનિયામાં આ પ્રગતિ આપણને ચક્રવાતની આગાહી કરવામાં મદદ કરશે અને આપણા દરિયાકાંઠાના અર્થતંત્રને પણ વેગ આપશે.” જણાવી દઈએ કે ગુજરાતના દરિયાકાંઠાની લંબાઈ 1,214 કિમી છે. જેમાં 16 દરિયાકાંઠાના જિલ્લાઓ સામેલ છે જેમાં દરિયાઈ-આધારિત ઇકોસિસ્ટમ્સની વિશાળ વિવિધતા છે.
આપને જણાવી દઈએ કે EOS-06 સેટેલાઇટને 26 નવેમ્બરના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આઠ નેનો સેટેલાઇટ સાથે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. ISROએ એક ટ્વિટમાં કહ્યું, “PSLV-C54/EOS-06 મિશન પૂર્ણ થયું. બાકીના ઉપગ્રહોને પણ તેમના લક્ષ્ય ભ્રમણકક્ષામાં પહોંચાડી દેવામાં આવ્યા છે. પીએસએલવીની આ 56મી ઉડાન હતી. મિશન 2022 સ્પેસ એજન્સી માટે પાંચમું અને છેલ્લું હોવાનું કહેવાય છે.
EOS-6 એ ઓશનસેટ શ્રેણીનો ત્રીજી પેઢીનો ઉપગ્રહ છે. તેનો ઉદ્દેશ્ય ઉન્નત પેલોડ વિશિષ્ટતાઓ તેમજ એપ્લિકેશન ક્ષેત્રો સાથે ઓશનસેટ-2 અવકાશયાનની સેવાઓ ચાલુ રાખવાનો છે.
Have you come across breathtaking images from the recently launched EOS-06 satellite? Sharing some beautiful images of Gujarat. These advances in the world of space technology will help us to better predict cyclones and promote our coastal economy too. @isro pic.twitter.com/JD6eu7JzOK
— Narendra Modi (@narendramodi) December 2, 2022
જણાવી દઈએ કે ગુજરાતમાં 89 સીટો માટે પ્રથમ તબક્કાની ચૂંટણી શુક્રવારે સમાપ્ત થઈ હતી, જેમાં 63.14% મતદાન નોંધાયું હતું, જે ગત વખત કરતા ઓછું હતું. રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. ત્યારે હાલ બીજા તબક્કાના ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે.
જ્યારે બીજા તબક્કાની 93 બેઠકો પર 5 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. જેની માટે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. જે અંતર્ગત પીએમ મોદી આજે અમદાવાદમાં બીજો રોડ શો યોજ્યો હતો. તેમજ સરસપુર ખાતે જાહેર સભાને સંબોધિત કરી હતી . જેમાં પીએમ મોદીએ ગુજરાતના વિકાસ અંગેની અનેક વાતો કરી હતી. તેમજ કહ્યું હતું કે આજે દેશભરમાં ગુજરાત મોડેલની ચર્ચા છે.