હિંમતનગર: SBIમાં કોરોના વિસ્ફોટ! મુખ્ય શાખા 14 દિવસ માટે બંધ કરાઈ
સાબરકાંઠા જિલ્લામાં હવે બેંકોમાં પણ કોરોનાનું સંક્રમણ વધવા લાગતા બેંકના કામકાજે જતાં લોકો પણ ચિંતામાં મુકાયા છે. હિંમતનગર, વડાલી અને પ્રાંતિજની ચાર જેટલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની શાખાઓના કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સાવચેતીના ભાગરુપે હાલ તો બેંકના કામકાજને સ્થગીત કરી દેવાયા છે. સાબરકાંઠા જિલ્લામાં હવે એકાએક જાણે કે કોરોનાનુ સંક્રમણ દિવસેને દિવસે વધવા લાગ્યુ […]
સાબરકાંઠા જિલ્લામાં હવે બેંકોમાં પણ કોરોનાનું સંક્રમણ વધવા લાગતા બેંકના કામકાજે જતાં લોકો પણ ચિંતામાં મુકાયા છે. હિંમતનગર, વડાલી અને પ્રાંતિજની ચાર જેટલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની શાખાઓના કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સાવચેતીના ભાગરુપે હાલ તો બેંકના કામકાજને સ્થગીત કરી દેવાયા છે. સાબરકાંઠા જિલ્લામાં હવે એકાએક જાણે કે કોરોનાનુ સંક્રમણ દિવસેને દિવસે વધવા લાગ્યુ છે. એક તરફ સરકારી આંકડાઓમાં કોરોનાનું સ્વરુપ શાંત લાગી રહ્યુ છે, પરંતુ બીજી તરફ કોરોનાના સામે આવતા કેસ ચિંતા જન્માવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં હવે એક બાદ એક ચાર જેટલી એસબીઆઈ શાખામાં કોરોના પોઝિટીવ ધરાવતા કર્મચારીઓ સામે આવ્યા છે. બેંકના કર્મચારીઓ કોરોના પોઝિટીવ હોવાનું સામે આવતા જ ખળભળાટ મચી જવા પામ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
હિંમતનગર શહેરમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની મુખ્ય શાખામાં કોરોના પોઝિટીવ ધરાવતા આઠ જેટલા કર્મચારીઓ સામે આવ્યા છે. જેમાં બેંકના મેનેજર પણ સંક્રમિત થયા છે. હિંમતનગર શહેરમાં સિવિલ સર્કલ વિસ્તારની મુખ્ય શાખા ઉપરાંત મોતીપુરા શાખામાં પણ ત્રણ કર્મચારીઓને કોરોના પોઝિટીવ આવ્યો હતો અને તે બેંકનુ કામકાજ પણ છેલ્લા બે દિવસથી થંભાવી દેવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત શુક્રવારે પ્રાંતિજની સ્ટેટ બેંક શાખાના કર્મચારીઓ પણ કોરોના પોઝિટીવ હોવાનું જણાયુ હતુ. જેમાં બેંકના બ્રાન્ચ મેનેજર સહિત ચાર કર્મચારીઓ સંક્રમિત થયા છે. હિંમતનગરની માફક પ્રાંતિજ શાખાનું કામકાજ પણ થંભાવી દેવામાં આવ્યુ હતુ. હિંમતનગર અને પ્રાંતિજ અગાઉ વડાલીની એસબીઆઈ બેંકના ત્રણ કર્મચારીઓ પણ કોરોના સંક્રમણમાં સપડાયા હતા. વધતા જતા સંક્રમણને લઈને બેંક ઉપરાંત હવે વડાલી શહેરને પણ હવે એક સપ્તાહ માટે લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યુ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો