હિંમતનગરમાં સરદારની પ્રતિમા અસ્વચ્છ રહી છતાં આગેવાનો દ્વારા હારતોરા કરી દેવાયા, બેદરકાર તંત્ર સરદાર જયંતિએ પણ ના જાગ્યુ

આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી ઉમંગ અને ઉત્સાહ ભેર કરવામાં આવી હતી. આવી જ રીતે સાબરકાંઠા જીલ્લામાં પણ સરદાર પટેલને જિલ્લાના આગેવાનો અને નેતાઓ દ્વારા યાદ કરીને સરદારની યાદોને તાજી કરવામાં આવી હતી. પરંતુ હિંમતનગરમાં બેદરકાર તંત્ર દ્વારા સરદારની બે માસ ઉપરાંતના સમય પહેલા જ નવીન લોકાર્પણ કરેલ પ્રતિમાને સાફ કર્યા વિના જ […]

હિંમતનગરમાં સરદારની પ્રતિમા અસ્વચ્છ રહી છતાં આગેવાનો દ્વારા હારતોરા કરી દેવાયા, બેદરકાર તંત્ર સરદાર જયંતિએ પણ ના જાગ્યુ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 31, 2020 | 5:47 PM

આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી ઉમંગ અને ઉત્સાહ ભેર કરવામાં આવી હતી. આવી જ રીતે સાબરકાંઠા જીલ્લામાં પણ સરદાર પટેલને જિલ્લાના આગેવાનો અને નેતાઓ દ્વારા યાદ કરીને સરદારની યાદોને તાજી કરવામાં આવી હતી. પરંતુ હિંમતનગરમાં બેદરકાર તંત્ર દ્વારા સરદારની બે માસ ઉપરાંતના સમય પહેલા જ નવીન લોકાર્પણ કરેલ પ્રતિમાને સાફ કર્યા વિના જ કાર્યક્રમ યોજી દેવાયો હતો. સરદારની પ્રતિમા પર ડાઘા જોવા મળતા લોકોમાં પણ નારાજગી વ્યાપી હતી.

 Himmatnagar ma sardar ni pratima aswach rahi chata aagevano dwara hartora kari devaya bedarkar tantra sardar jayanti e pan na jagyu

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એક તરફ હિંમતનગર શહેરને સુધારા પર લઈ જવાની વાતો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ કરતા આવ્યા છે. પરંતુ આ વચ્ચે શહેરની સ્થિતી કેવી છે તે સૌ કોઈ જાણે છે. પરંતુ જ્યારે દેશના લડવૈયાઓ અને ઘડવૈયાઓની વાત આવે ત્યારે તેમને લઈને શહેરીજનો પણ જરુર લાગણી વશ થઈ જતા હોય છે. આમ છતાં પણ તંત્ર દ્વારા આવી બાબતોમાં પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે. શહેરના ટાવર ચોકમાં આ પહેલા પણ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા હતી અને શહેરમાં આવતા પ્રદેશ કે રાષ્ટ્રીય નેતા પ્રતિમાને સન્માન આપવા અચુક ટાવર ચોક જતા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Himmatnagar ma sardar ni pratima aswach rahi chata aagevano dwara hartora kari devaya bedarkar tantra sardar jayanti e pan na jagyu

પરંતુ ગત 15,ઓગષ્ટે રાજ્યના ગૃહ પ્રધાનના હસ્તે નવિન પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જો કે આ પ્રતિમા પરથી હવે માત્ર બે માસમાં જ કલર વખોડાઈ જવા લાગ્યો છે તો આજે સરદાર જયંતિ હોવા છતાં પણ તેને સાફ સુફ કરવામાં પણ બેદરકારી દાખવવામાં આવી છે. સરદારના ચહેરા પર જ પક્ષીઓની ચરક સહિતના ડાઘા જોવા મળી રહ્યા હતા. આવી જ સ્થિતીમાં નેતાઓએ પણ સરદારની જયંતિની ઉજવણી પણ કરી લીધી હતી.

Himmatnagar ma sardar ni pratima aswach rahi chata aagevano dwara hartora kari devaya bedarkar tantra sardar jayanti e pan na jagyu

સરદાર પટેલની પ્રતિમાને લઈને તાજેતરમાં પણ સ્થાનિકોએ તેના બદલાવ વેળા લાગણીઓ દર્શાવી હતી. જે લાગણીઓનું પુર પણ હજુ માંડ શમ્યુ છે, ત્યાં દેશના મહાપુરુષોની પ્રતિમાની સ્વચ્છતા બાબતે પણ બેદરકારી દાખવવી અયોગ્ય છે. શહેરના મુખ્ય ચોકમાં લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમાએ આજે રાજકીય પક્ષોના નેતાઓ અને પદાધિકારીઓએ હોંશભેર અહીં હાર તોરા કર્યા હતા. પરંતુ નજર સમક્ષ અસ્વચ્છતા બાબતે ટકોર કરવામાં તેઓએ દાખલેવી નિરસતા પણ જાણે કે તેમના માટે ભુલથી કમ નથી. જોકે આ પરથી તંત્ર અને હિંમતનગર નગરપાલિકા પણ હવે શીખીને દરકાર રાખતા શિખે એ પણ જરુરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">