High Alert : શામળાજી મંદિરની સુરક્ષામાં કરવામાં આવ્યો વધારો

અલકાયદા દ્વારા ગુજરાતમાં હુમલાની ધમકીના પગલે સમગ્ર ગુજરાતને હાઇ એલર્ટ (High Alert in Gujarat)પર મૂકવામાં આવ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાના પ્રખ્યાત મંદિર શામળાજી (Shamlaji) તેમજ દ્વારકા મંદિરની સુરક્ષા વધારવામાં આવી છે.

High Alert : શામળાજી મંદિરની સુરક્ષામાં કરવામાં આવ્યો વધારો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2022 | 1:07 PM

આંતકવાદી સંગઠન અલકાયદા દ્વારા ગુજરાતમાં હુમલાની ધમકીના પગલે સમગ્ર ગુજરાતને હાઇ એલર્ટ (High Alert in Gujarat) પર મૂકવામાં આવ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાના પ્રખ્યાત મંદિર શામળાજી   (Shamlaji)   તેમજ દ્વારકા મંદિર ખાતે પણ  સુરક્ષા વધારવામાં આવી છે. મંદિરમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.

મોડાસાના DySP, ભરત બશીયાએ જણાવ્યું હતું કે આતંકવાદી સગઠનની ધમકીને પગલે વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. શામળાજી મંદિરની સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ઉભો કરવામાં આવ્યો છે. તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા ખાનગી સિક્યુરિટીને પણ મંદિરની સુરક્ષા માટે ગોઠવવામાં આવી છે. સાથે જ અરવલ્લી જિલ્લાને સ્પર્શતી તમામ આંતરરાજ્ય સરહદ ઉપરની ચેકપોસ્ટ ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. તો મંદિરના મેનેજર કનુ પટેલે જણાવ્યું હતું કે મંદિરમાં વધારાના સુરક્ષા જવાનો  તૈનાત કરવામાં આવ્યા છે.  મંદિરમાં આવતા દર્શનાર્થીઓના ચેકિંગ બાદ જ  મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે.

નોંધનીય છે કે આતંકવાદી સંગઠનની મળેલી ધમકીને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જગત મંદિરની (Dwarka Temple) સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લો કે જે ત્રણ તરફથી સમુદ્ર સાથે ઘેરાયેલો હોવાથી જે સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વ પૂર્ણ ગણાય છે અહી જગ વિખ્યાત દ્વારકાધીશ મંદિર આવ્યુ હોવાથી દરરોજ હજારોની સંખ્યામાં યાત્રાળુ સમગ્ર દેશમાંથી આવતા હોય ત્યારે સુરક્ષાની (Safety) દ્રષ્ટિએ આ જિલ્લો ખૂબજ મહત્વ પૂર્ણ ગણવામાં આવે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">