શહેરોમાંથી ગ્રામ્યસ્તરે પહોચી ચૂકેલા કોરોનાને કાબુમાં લેવા, ઔદ્યોગિક વિસ્તારના કર્મચારીઓના શરુ કરાયા પરીક્ષણ
શહેરોમાંથી ગામડાઓમાં પહોચી ચૂકેલા કોરોનાને કાબુમાં લેવા માટે હવે તંત્ર સફાળુ જાગ્યુ છે. એક સમયે માત્ર શહેરોમાં જ કોરોનાના કેસ જોવા મળતા હતા. પરંતુ અનલોક બાદ શહેરોમાંથી ગ્રામ્ય વિસ્તારમાં અવરજવર વધતા કોરોનાનું સંક્રમણ ગ્રામ્યસ્તરે ફેલાયુ છે. ગ્રામ્યસ્તરે કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે હવે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ઔદ્યોગિક વિસ્તારમાં કર્મચારીઓના પરીક્ષણ કરવામાં આવી રહ્યુ […]
શહેરોમાંથી ગામડાઓમાં પહોચી ચૂકેલા કોરોનાને કાબુમાં લેવા માટે હવે તંત્ર સફાળુ જાગ્યુ છે. એક સમયે માત્ર શહેરોમાં જ કોરોનાના કેસ જોવા મળતા હતા. પરંતુ અનલોક બાદ શહેરોમાંથી ગ્રામ્ય વિસ્તારમાં અવરજવર વધતા કોરોનાનું સંક્રમણ ગ્રામ્યસ્તરે ફેલાયુ છે. ગ્રામ્યસ્તરે કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે હવે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ઔદ્યોગિક વિસ્તારમાં કર્મચારીઓના પરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. અમદાવાદ જિલ્લાના નવ તાલુકામાં આવેલ વિવિધ ઔદ્યોગિક વિસ્તારના વિવિધ એકમોના કર્મચારીઓ રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાઈ રહ્યાં છે.
આ પણ વાંચોઃગુજરાતમાં પડેલા ભારે વરસાદથી 37 રસ્તાઓને નુકસાન, વાહનવ્યવહાર માટે કરાયા બંધ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો