પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાને પગલે રાજકારણ ગરમાયુ, હાર્દિક પટેલે AAPને ગણાવી ‘અરાજક’

હાર્દિકે (Hardik Patel) ટ્વિટમાં આપ પર પ્રહારો કરતા લખ્યુ કે,'પંજાબના મુખ્યમંત્રી અને દિલ્હીથી આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર ચલાવનારા લોકોએ વિચારવું પડશે કે શું તેઓ પંજાબને દર્દ આપવા કોંગ્રેસ જેવી બીજી પાર્ટી બનવા માગે છે કે ખરેખર લોકો માટે કંઈક કરવા માગે છે.'

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાને પગલે રાજકારણ ગરમાયુ, હાર્દિક પટેલે AAPને ગણાવી 'અરાજક'
Hardik Patel lashes out AAP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2022 | 11:38 AM

Gujarat : પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની (Singer Sidhu Moose Wala) ગોળી મારી હત્યાને લઈને રાજકારણ ગરમાયું છે. પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર હાલ સવાલોમાં ઘેરાઈ છે, ત્યારે ગુજરાતમાં પણ રાજકારણ ગરમાયું છે. હાર્દિક પટેલે(Hardik Patel)  પંજાબની આમ આદમી પાર્ટી પર ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાને લઈને આકરા પ્રહારો કર્યા છે.હાર્દિક પટેલે ટ્વીટ(Tweet)  કરી લખ્યું છે કે, ‘કોઈ પણ રાજ્ય અરાજક હાથમાં જાય તે કેટલું ઘાતક છે, પંજાબને તેનો  એક ખૂબ જ દુઃખદ ઘટના સાથે અહેસાસ થયો.થોડા દિવસો પહેલા આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી અને આજે પ્રખ્યાત યુવા કલાકાર સિદ્ધુ મૂસાવાલેની ઘાતકી હત્યા મહત્વના સવાલો ઉભા કરી રહી છે.’

હાર્દિકે બીજા ટ્વિટમાં આપ પર પ્રહારો કરતા લખ્યુ કે,”પંજાબના મુખ્યમંત્રી અને દિલ્હીથી આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર (Punjab Government) ચલાવનારા લોકોએ વિચારવું પડશે કે શું તેઓ પંજાબને દર્દ આપવા કોંગ્રેસ જેવી બીજી પાર્ટી બનવા માગે છે કે ખરેખર લોકો માટે કંઈક કરવા માગે છે…સિદ્ધુ મુસેવાલાને મારી શ્રદ્ધાંજલિ.”

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

માનસાના જવાહર ગામમાં મુસેવાલા પર હુમલો

ઉલ્લેખનીય છે કે, પંજાબના મશહુર ગાયકની ગઈ કાલે માનસાના જવાહર ગામમાં કેટલાક અજાણ્યા લોકોએ ગોળી મારી હતી. જે બાદ સિદ્ધુ મુસેવાલા ગંભીર રીતે ઘાયલ થયો હતો.જેથી તેને સારવાર અર્થ માનસા જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેના મોતની પુષ્ટિ કરી હતી.

ગયા વર્ષે કોંગ્રેસમાં જોડાયા હતા

માનસા જિલ્લાના ગામ મુસાના રહેવાસી સિદ્ધુ મુસેવાલા ગયા વર્ષે નવેમ્બરમાં કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસે તેમને માનસા વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. ઉલ્લેખનીય છે કે પંજાબ સરકારે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા સહિત કુલ 424 લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધાના એક દિવસ બાદ આ હત્યાનો મામલો સામે આવ્યો છે. ગયા મહિને સિદ્ધુએ પોતાના ગીત ‘બલી કા બકરા’માં આમ આદમી પાર્ટી અને તેના સમર્થકો પર નિશાન સાધ્યું હતું, ત્યાર બાદ વિવાદ છેડાઈ ગયો હતો. ગાયકે પોતાના ગીતમાં AAP સમર્થકોને ‘દેશદ્રોહી’ અને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યા હતા.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">