Guru Govindsingh Jayanti 2021: ક્યારે છે ગુરુ ગોવિંદસિંહ જયંતિ ? જાણો તેમના જીવનની મહત્વપૂર્ણ વાતો

આ દિવસે ગુરુદ્વારાઓમાં રોશનીનો શણગાર કરવામાં આવે છે. લોકો અરદાસ, ભજન, કીર્તન સાથે પૂજા કરે છે. સવારે શહેરમાં પ્રભાત ફેરી કાઢવામાં આવે છે

Guru Govindsingh Jayanti 2021: ક્યારે છે ગુરુ ગોવિંદસિંહ જયંતિ ? જાણો તેમના જીવનની મહત્વપૂર્ણ વાતો
Guru Govind Singh Jayanti 2021
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 19, 2021 | 3:21 PM

આ વર્ષે 20 જાન્યુઆરી બુધવારે શીખ સમુદાયના 10 માં ગુરુ, ગુરુ ગોવિંદસિંહ જીની જન્મ જયંતી છે.ગુરુ ગોવિંદસિંહજીનો જન્મ 1966 માં પૌષ મહિનાના શુક્લ પક્ષના સાતમા દિવસે પટના સાહિબમાં થયો હતો. શીખ સમુદાય આ દિવસને ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વ તરીકે ઉજવે છે. આ દિવસે ગુરુદ્વારાઓમાં રોશનીનો શણગાર કરવામાં આવે છે. લોકો અરદાસ, ભજન, કીર્તન સાથે પૂજા કરે છે. સવારે શહેરમાં પ્રભાત ફેરી કાઢવામાં આવે છે. લંગરનું પણ આયોજન કરાય છે.

guru-gobind-singh

શીખ સમુદાયના 10 માં ગુરુ,ગુરુ ગોવિંદસિંહજી

ગુરુ ગોવિંદસિંહજીનું બાળપણ- ગુરુ ગોવિંદસિંહના માતાનું નામ ગુજરી અને પિતાનું નામ ગુરુ તેગ બહાદુર હત. ગુરુ તેગ બહાદુરજી શીખ સમુદાયના 9મા ગુરુ હતા. પરિવારના છોકરાઓ ગોવિંદને પ્રેમથી ગોવિંદરાય કહેતા હતા. ગુરુ ગોવિંદસિંહનું બાળપણ પટનામાં વિત્યું હતું. ત્યાં તે બાળપણમાં બાળકો સાથે તીર-લડાઇ, કૃત્રિમ યુદ્ધ જેવી રમતો રમતો હતો. આને કારણે બાળકોએ તેમને સરદાર તરીકે સ્વીકારવાનું શરૂ કર્યું. તેમને હિન્દી, સંસ્કૃત, પર્શિયન, બ્રિજ વગેરે ભાષાઓનું જબરદસ્ત જ્ઞાન હતું.

ગોવિંદસિંહજી હતા બહાદુરીના પર્યાય- નવેમ્બર 1675 માં ગુરુ તેગ બહાદુરની શહાદત પછી,ગુરુ ગોવિંદસિંહજીએ 09 વર્ષની વયે રાજગાદી સંભાળી. તેઓ નિર્ભય અને બહાદુર યોદ્ધા હતા. તેમની બહાદુરી વિશે લખવામાં આવ્યું છે કે , “સવા લાખ સે એક લડાઉ ચિડીયો સે મેં બાજ લડાઉ તમે ગોવિંદસિંહ નામ કહાઉ.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ખાલસા પંથ અને પાંચ કકાર- ગુરુ ગોવિંદસિંહજીએ જ ખાલસા પંથની સ્થાપના કરી હતી. તેમણે દરેક શીખને કિર્પણ અથવા શ્રીસાહેબ પહેરવાનું કહ્યું. તેમણે ખાલસાને અવાજ આપ્યો “વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ”. તેમણે જ શિખો માટે ‘પાંચ કકારા’ કેશ, કડું, કિર્પાણ, કાંઠા અને કચ્છાને ફરજિયાત બનાવ્યા હતા.

Guru-Gobdind-Singh-Children

બે પુત્રોને દિવાલોમાં જીવંત ચણી દેવામાં આવ્યા હતા

ધર્મની રક્ષા માટે પરિવારનું બલિદાન ધર્મની રક્ષા માટે ગુરુ ગોવિંદસિંહજીએ તેમના આખા કુટુંબનું બલિદાન આપ્યું હતું. તેના બે પુત્રોને દિવાલોમાં જીવંત ચણી દેવામાં આવ્યા હતા. ઓક્ટોબર 1708 માં તેમનું અવસાન થયું. ત્યારથી, ગુરુ ગ્રંથ સાહિબ શીખોના કાયમી ગુરુ બન્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">