Gujarat : સ્થાનિક સ્વરાજ ચૂંટણીની મતગણતરી એક જ દિવસે યોજવાની અરજી નામંજૂર

Gujarat : એક જ દિવસે મતગણતરીની માંગ સાથે કરાયેલી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે અરજદારની માગણીને નામંજૂર કરી છે.

| Updated on: Feb 19, 2021 | 2:31 PM

Gujarat : એક જ દિવસે મતગણતરીની માંગ સાથે કરાયેલી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે અરજદારની માગણીને નામંજૂર કરી છે.હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે રાખો. જો નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાન પહેલા મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે તો તેના લીધે મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે. જેમાં મતદારોને અસર થવાની સંભાવના છે. જેથી મુક્ત અને ન્યાયી ચૂંટણી સંભવ બની શકશે નહીં તેવી અરજદારે રજૂઆત કરી હતી.

 

તો બીજી તરફ, રાજ્ય ચૂંટણી પંચની રજૂઆત હતી કે વર્ષ 2005થી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચંટણીની મતગણતરી બે તબક્કામાં કરાય છે. રાજ્યમાં જો એક જ તારીખે મતગણતરી રાખીએ તો બહુ મોટો સ્ટાફ રોકવો પડે, અધિકારીઓને દરેક સ્થળ પર ધ્યાન રાખવામાં અગવડતા પડે. આ ઉપરાંત સામાન્ય રીતે મતગણતરી માટે એક જ રૂમમાં 14 ટેબલ રાખવામાં આવે છે.. જોકે કોવિડના લીધે 7 ટેબલ જ ગોઠવવામાં આવનારા છે. મત ગણતરી અલગ-અલગ તારીખે રાખવા અંગેના કોઈ મજબૂત કારણો કે નુક્સાન અંગેના પુરાવા અરજદારે આપ્યા નથી તેવી ચૂંટણી પંચ તરફથી રજૂઆત કરાઈ હતી.

Follow Us:
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">