ગુજરાતમાં ફટાકડા પર પ્રતિબંધ મુકવો કે નહીં તે અંગે હજુ અવઢવ, એનજીટી જો કોઇ ચોક્કસ સુચના નહીં આપે તો રાજ્ય સરકાર લેશે નિર્ણય: નીતિન પટેલ
દેશમાં રાજસ્થાન, કર્ણાટક, દિલ્હી જેવા રાજ્યોએ દિવાળીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુક્યો છે જ્યારે ગુજરાતમાં ફટાકડા પર પ્રતિબંધ મુકવો કે નહીં તે અંગે કોઇ નિર્ણય હજુ લેવાયો નથી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુલ ફટાકડા બાબતે સુનાવણી કરી રહી છે અને એનજીટીએ રાજ્યો પાસે જવાબ માગ્યા છે. જોકે, નીતિન પટેલે સંકેત […]
દેશમાં રાજસ્થાન, કર્ણાટક, દિલ્હી જેવા રાજ્યોએ દિવાળીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુક્યો છે જ્યારે ગુજરાતમાં ફટાકડા પર પ્રતિબંધ મુકવો કે નહીં તે અંગે કોઇ નિર્ણય હજુ લેવાયો નથી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુલ ફટાકડા બાબતે સુનાવણી કરી રહી છે અને એનજીટીએ રાજ્યો પાસે જવાબ માગ્યા છે. જોકે, નીતિન પટેલે સંકેત આપ્યો હતો કે એનજીટી જો કોઇ ચોક્કસ સુચના નહીં આપે તો રાજ્ય સરકાર ફટાકડા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેશે. નીતિન પટેલે દિલ્હીના પ્રદૂષણને ગુજરાત સાથે સરખાવવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, ગુજરાતમાં પ્રદૂષણ પ્રમાણમાં ખુબ જ ઓછું છે અને પ્રદૂષણ બાબતે દિલ્હીની ગુજરાત સાથે તુલના થઇ શકે નહીં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો