ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જી.આર.ઉધવાણીનું કોરોનાથી નિધન, 15 દિવસથી ચાલી રહી હતી સારવાર
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જી.આર.ઉધવાણીનું કોરોનાથી નિધન થયું છે. છેલ્લા 15 દિવસથી જસ્ટિસની કોરોનાની સારવાર ચાલી રહી હતી. ગઈકાલે રાત્રે તબિયત વધુ લથડી હતી. આજે વહેલી સવારે જસ્ટિસ જી.આર. ઉધવાણીએ અંતિમ શ્વાસ લીધા હતા. ઉધવાણીએ સીટી સિવિલ જજ તરીકે કારકિર્દી શરૂ કરી હતી. બાદમાં તેમને હાઈકોર્ટમાં પ્રમોશન મળ્યું હતું. કૃષ્ણકાંત વખારિયા, નિરૂપમ નાણાવટીને ત્યાં વકીલ તરીકે […]
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જી.આર.ઉધવાણીનું કોરોનાથી નિધન થયું છે. છેલ્લા 15 દિવસથી જસ્ટિસની કોરોનાની સારવાર ચાલી રહી હતી. ગઈકાલે રાત્રે તબિયત વધુ લથડી હતી. આજે વહેલી સવારે જસ્ટિસ જી.આર. ઉધવાણીએ અંતિમ શ્વાસ લીધા હતા. ઉધવાણીએ સીટી સિવિલ જજ તરીકે કારકિર્દી શરૂ કરી હતી. બાદમાં તેમને હાઈકોર્ટમાં પ્રમોશન મળ્યું હતું. કૃષ્ણકાંત વખારિયા, નિરૂપમ નાણાવટીને ત્યાં વકીલ તરીકે કામ કર્યું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો