VIDEO: ગુજરાતમાં કોંગો ફિવરને કારણે એક મહિલાનું મોત નિપજતા આરોગ્ય તંત્ર દોડતું
ગુજરાતમાં કોંગો ફિવરને કારણે એક મહિલાનું મોત નિપજતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. એકબાજુ ચોમાસામાં રોગચાળોએ ભરડો લીધો છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના જામડી ગામના 75 વર્ષીય મહિલાને કોંગો ફિવર થતા તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની SVP હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સૌ પ્રથમ શંકાસ્પદ રીતે કોંગો ફિવરથી સુખીબેનના મોત મામલે […]
ગુજરાતમાં કોંગો ફિવરને કારણે એક મહિલાનું મોત નિપજતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. એકબાજુ ચોમાસામાં રોગચાળોએ ભરડો લીધો છે. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના જામડી ગામના 75 વર્ષીય મહિલાને કોંગો ફિવર થતા તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની SVP હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સૌ પ્રથમ શંકાસ્પદ રીતે કોંગો ફિવરથી સુખીબેનના મોત મામલે પૂણેની લેબોરેટરીમાં નમૂના મોકલવામાં આવ્યા હતા. જો કે તેનો રિપોર્ટ પોઝિટીવ આવતા કોંગો ફિવરથી તેમનું મોત થયુ હોવાનો ખુલાસો થયો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
રાજ્યભરમાં ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર આખરે છે શું, એ સવાલ ચોક્કસ ઉદભવતો હશે. તો તમને જણાવી દઈએ આ રોગ ખાસ કરી પશુઓ દ્વારા ફેલાય છે. ઈતરડીના કરડવાથી કોંગો વાયરસની અસર થતી હોય છે. અને આ ઈતરડી ગાય તેમજ ભેંસ જેવા પશુની પૂછડીના ભાગમાંથી મળી આવતી હોય છે. પશુઓની ચામડી પર ચોંટેલા ‘હિમોરલ’ નામના પરજીવી રોગ આ રોગનું વાહક છે. તેમજ જે લોકો ગાય, ભેંસ, બકરી, શ્વાન વગેરેના સંપર્કમાં રહેતા હોય તેવો લોકો પર આ રોગ થવાનો ખતરો વધુ રહે છે. ખાસ કરીને માલધારીઓ અને પશુપાલકોને આ રોગ થવાની શક્યતા વધુ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]