GUJARAT CORONA UPDATE : રાજ્યમાં ત્રણ દિવસ બાદ ઘટ્યા કોરોનાના કેસ, નવા 401 કેસ, 1 દર્દીનું મૃત્યુ
GUJARAT CORONA UPDATE : 28 ફેબ્રુઆરીના દિવસે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 401 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાક દરમિયાન કોરોનાથી 1 દર્દીનું મૃત્યુ થયા છે.
GUJARAT CORONA UPDATE : રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના નવા કેસોમાં થયેલા વધારા બાદ ચોથા દિવસે ઘટાડો થયો છે. રાજ્યમાં 28 ફેબ્રુઆરીના દિવસે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 401 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાક દરમિયાન કોરોનાથી 1 દર્દીનું મૃત્યુ થયા છે.
રાજ્યના મહાનગરોમાં આજે નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 107 કેસો, જયારે સુરતમાં 70, વડોદરામાં 52 અને રાજકોટમાં 42 નવા કેસો નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઈને 301 દર્દીઓ સાજા થયા છે, આ સાથે જ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2,63,116 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસોમાં વધારો થયો છે. ગઈકાલે 27 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા 2258 હતી જયારે આજે 28 ફેબ્રુઆરીના દિવસે કોરોનાના એક્ટીવ કેસો વધીને 2363 થયા છે.