Gujarat Corona Update : રાજ્યમાં કોરોના ઓલટાઈમ હાઈ, છેલ્લા 24 કલાકમાં નવા 2640 કેસ, 11 દર્દીઓના મૃત્યુ
Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોનાના 2640 નવા કેસ આવવાની સાથે એક્ટીવ કેસ 13559 થયા.
Gujarat Corona Update : રાજ્યમાં કોરોના સંક્રમણની ગતિ યથાવત છે. રાજ્યમાં 27 માર્ચ બાદ કોરોનાના કેસો ઉત્તરોત્તર સપાટી પાર કરી રહ્યા છે.27 માર્ચે 2276, 28 માર્ચે 2270, 29 માર્ચે 2252, 30 માર્ચે 2220, 31 માર્ચે 2360 અને 1 એપ્રિલે 2410 કેસ આવ્યાં બાદ આજે 2જી એપ્રિલે 2600થી વધુ નવા કેસ સામે આવ્યાં છે.
2640 નવા કેસ, 11 દર્દીઓના મૃત્યુ રાજ્યમાં આજે 2જી અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Corona ના નવા 2640 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 11 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદ-રાજકોટ-સુરતમાં ત્રણ-ત્રણ અને વડોદરા તથા ભરૂચમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં આજના નવા કેસો સાથે અત્યાર સુધીમાં નોધાયેલા કોરોનાના કેસોની સખ્યા 3,12,748 થઇ છે.
અમદાવાદમાં 621 અને સુરતમાં 506 કેસ રાજ્યમાં આજે 2જી એપ્રિલે નોધાયેલા Coronaના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 621, સુરતમાં 506, વડોદરામાં 322 અને રાજકોટમાં 262 કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવનો ક્રમ યથાવત રહ્યો છે.
એક્ટીવ કેસ વધીને 13559 થયા રાજ્યમાં Coronaના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં એક્ટીવ કેસ વધીને 13559 થયા છે.જેમાં 158 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 13,401 લોકોની સારવાર ચાલી રહી છે.
#Gujarat #CoronaUpdate 2640 new #Covid19 cases 2066 recovered, 11 deaths
Ahmedabad 621 Surat 506 Vadodara 322 Rajkot 262 Surat Dist 138
Total active cases 13559 Stable 13401, Ventilator 158
440364 Vaccinated Today Total Vaccinations 💉 5775904 First Dose 730124 Second Dose pic.twitter.com/I6s7UwhE6H
— Kalpak Kekre (@Kalpakkekre) April 2, 2021
2066 દર્દીઓ સાજા થયા રાજ્યમાં આજે 2જી અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 2066 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 2,94,650 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 94.21 ટકા થયો છે.
આજે 4,40,346 લોકોને કોરોનાની રસી અપાઈ રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે 2જી અપ્રિલના દિવસે કુલ 4,40,346 લોકોને રસી અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 57,75,904 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 7,30,124 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં 45થી વધુ વર્ષના તમામ લોકોને રસી આપવાનો આજ બીજો દિવસ છે. રાજ્યમાં આજે 45 થી 60 વર્ષના કુલ 3,51,802 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 29,137 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 65,06,028 લોકોને કોરોનાની રસી અપાઈ છે.