Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના વળતા પાણી, નવા 298 કેસ, 5 દર્દીઓના મૃત્યુ

Gujarat Corona Update : રસીકરણ અભિયાનમાં આજે 16 જૂનના રોજ 2,18,062 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,10,39,716 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના વળતા પાણી, નવા 298 કેસ, 5 દર્દીઓના મૃત્યુ
ફાઈલ ફોટો
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jun 16, 2021 | 9:32 PM

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાની પકડ ધીમી પડતી જઈ રહી છે. કોરોનાની બીજી લહેરમાં જે રીતે રાજ્યમાં કોરોનાના કેસો નવી ઉંચાઈએ પહોંચ્યા હતા, એવી જ રીતે હવે રાજ્યમાં કોરોનાના કેસોમાં અને કોરોનાથી થતા મૃત્યુમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

રાજ્યમાં 16 જૂને ઘણા દિવસો પછી કોરોનાના 300થી ઓછા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટીવ કેસ ઘટીને 8,242 થયા છે. નવા કેસ, મૃત્યુ અને એક્ટિવ કેસમાં થઈ રહેલા ઘટાડાથી રાજ્યમાં કોરોનાના વળતા પાણી છે એમ કહી શકાય. જો કે કોરોના સામે સાવધાની રાખવી એટલી જ જરૂરી છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

298 નવા કેસ, 5 દર્દીઓના મૃત્યુ

રાજ્યમાં આજે 16 જૂનના રોજ કોરોનાના નવા 298 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 5 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,21,376 થઈ છે અને મૃત્યુઆંક 10,012 થયો છે. આજે રાજ્યના મહાનગરોમાં કોવિડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો અમદાવાદ શહેરમાં 2, સુરત જિલ્લામાં 1, અને જુનાગઢ જિલ્લામાં કોરોનાના કારણે 0 દર્દીનું મૃત્યુ થયું છે.

અમદાવાદ અને સુરતમાં 46-47 નવા કેસ

રાજ્યમાં આજે 16 જૂનના રોજ અમદાવાદ અને સુરત શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 46 અને સુરતમાં 47 નવા કેસ, વડોદરામાં 25, રાજકોટમાં 19, ગાંધીનગરમાં 4, જામનગરમાં 7, જુનાગઢમાં 3 અને ભાવનગર કોરોના વાયરસનો માત્ર 1 નવો કેસ નોંધાયો છે. અન્ય મૃત્યુ રાજ્યના જિલ્લાઓમાંથી છે.

935 દર્દીઓ સાજા થયા

રાજ્યમાં આજે 16 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 935 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,03,122 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 97.78 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 8,242 થયા છે, જેમાં 209 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 8,033 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.

આજે 2,18,062 લોકોનું રસીકરણ થયું

રાજ્યના રસીકરણ અભિયાનમાં આજે 16 જૂનના રોજ 2,18,062 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,10,39,716 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજના દિવસે થયેલા રસીકરણની વિગત જોઈએ તો

1) 899 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 2) 2306 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 3) 45 થી વધુ ઉમરના 31,721 લોકોને પ્રથમ ડોઝ, 4) 45 થી વધુ ઉમરના 20,195 લોકોને બીજો ડોઝ, 5) 18-45 વર્ષ સુધીના 1,60577 લોકોને પ્રથમ ડોઝ, 6) 18-45 વર્ષ સુધીના 2364 લોકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">