Gujarat Corona Update : રાજ્યમાં 15,264 દર્દીઓ સાજા થયા, રીકવરી રેટ 80.94 ટકા થયો
Gujarat Corona Update : ગુજરાતમાં Corona વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 12 મેનારોજ 11,017 કોરોનાના દૈનિક કેસો નોંધાયા છે. આ સાથે 15,264 થી વધુ દર્દીઓ સાજા થયા છે.
Gujarat Corona Update : ગુજરાતમાં Corona વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 12 મેનારોજ 11,017 કોરોનાના દૈનિક કેસો નોંધાયા છે. આ સાથે 15,264 થી વધુ દર્દીઓ સાજા થયા છે.
11,017 નવા કેસ, 102 મૃત્યુ
રાજ્યમાં આજે 12 મે ના રોજ Coronaના નવા 11,017 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 102 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,27,483 થઇ છે અને મૃત્યુઆંક 8731 થયો છે. આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો
અમદાવાદ : શહેરમાં 17, જિલ્લામાં 0 સુરત : શહેરમાં 9 , જિલ્લામાં 5 મૃત્યુ વડોદરા : શહેરમાં 5, જિલ્લામાં 4 મૃત્યુ રાજકોટ : શહેરમાં 5, જિલ્લામાં 3 મૃત્યુ જામનગર : શહેરમાં 6, જિલ્લામાં 3 મૃત્યુ ભાવનગર : શહેરમાં 3, જિલ્લામાં 0 મૃત્યુ ગાંધીનગર : શહેરમાં 1, જિલ્લામાં 2 મૃત્યુ
#GujaratCoronaUpdate#COVID19Dashboard11,017 New cases15,264 Discharged102 Deaths reported127483 Active Cases,802 on ventilatorTotal 1,45,67,089 People received Vaccine so far1,87,724 Got Vaccine Today33,450 people between 18-44 got first dose https://t.co/ydCdI3AmtH pic.twitter.com/u5VTTeNi7q
— GujHFWDept (@GujHFWDept) May 12, 2021
અમદાવાદમાં 2795 કેસ, સુરતમાં 781 કેસ
રાજ્યમાં આજે 12 મે ના રોજ અમદાવાદમાં સૌથી વધુ અને ત્યારબાદ બીજા ક્રમે સુરતમાં કોરોનાના સૌથી વધુ નવા કેસો નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 2795 , સુરતમાં 781, વડોદરામાં 664, રાજકોટમાં 286, જામનગરમાં 305, ભાવનગરમાં 292 અને જુનાગઢમાં 227 કોરોનાના નવા કેસ નોધાયા છે. આ મહાનગરો ઉપરાંત વડોદરા જિલ્લામાં 484, મહેસાણા જિલ્લામાં 411 અને સુરત જિલ્લામાં 264 નવા કેસો નોંધાયા છે.
15,264 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા
રાજ્યમાં 12 મે ના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 15,264 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,78,397 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 80.94 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 1,27,483 થયા છે, જેમાં 804 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 1,26,669 દર્દીઓની સારવાર ચાલી રહી છે.