Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના નવા 138 કેસ નોંધાયા, 3 દર્દીઓના મૃત્યુ, 4 લાખથી વધુ નાગરિકોનું રસીકરણ
રાજ્યમાં આજે 23 જૂનના રોજ કોરોનાના નવા 138 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 3 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,07,911 થઈ છે
Gujarat Corona Update: રાજ્યમાં 21 જૂનથી 18થી ઉપરની ઉંમરના તમામ લોકોને મફતમાં કોરોના રસી આપવાનું રસીકરણ મહાઅભિયાન “બધાને વેક્સિન, મફત વેક્સિન” શરૂ થયાના આજે ત્રીજા દિવસે 23 જૂને પણ 4,48,153 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં રસીકરણ વધવાની સામે રાજ્યમાં કોરોનાના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
આજે ચાર લાખથી વધુ લોકોનું રસીકરણ
રાજ્યમાં આજે “બધાને વેક્સિન, મફત વેક્સિન” અભિયાન અંતર્ગત સાંજે પાંચ વાગ્યા સુધીમાં 4,48,153 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 18-45 વર્ષ સુધીના 2,96,255 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે જ કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,34,57,715 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે થયેલા રાજ્યમાં આજે થયેલા રસીકરણ (Vaccination in Gujarat)ના આંકડાઓ જોઈએ તો
1) 1186 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 2) 9840 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 3) 45 થી વધુ ઉમરના 77,764 નાગરિકોને પ્રથમ ડોઝ, 4) 45 થી વધુ ઉમરના 49,212 નાગરિકોને બીજો ડોઝ, 5) 18-45 વર્ષ સુધીના 2,96,255 નાગરિકોને પ્રથમ ડોઝ, 6) 18-45 વર્ષ સુધીના 13,896 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Vaccination in Gujarat)
138 નવા કેસ, 3 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં આજે 23 જૂનના રોજ કોરોનાના નવા 138 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 3 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,07,911 થઈ છે અને મૃત્યુઆંક 10,040 થયો છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 1, સુરત જિલ્લામાં 1 અને જામનગર જિલ્લામાં કોરોનાને કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.
અમદાવાદમાં 29 નવા કેસ
રાજ્યમાં આજે 23 જૂનના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 29, સુરતમાં 11, રાજકોટમાં 8, વડોદરામાં 8, ગાંધીનગર અને જામનગરમાં 2-2 કેસ અને ભાવનગર શહેરમાં 2 અને જુનાગઢમાં શહેરમાં કોરોના વાયરસના 5 કેસ નોધાયા છે. અન્ય કેસ રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે.
487 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 4,807 થયા
રાજ્યમાં આજે 23 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 487 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,07,911 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.20 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 4,807 થયા છે, જેમાં 81 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 4,726 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.