Gujarat Corona: સૌરાષ્ટ્રમાં કોરોનાનો સપાટો, એક જ દિવસમાં 329 કેસ અને 9નાં મોતથી આરોગ્ય વિભાગમાં સન્નાટો

Gujarat Corona: સૌરાષ્ટ્રમાં કોરોનાનાં કેસમાં ધરખમ વધારો થયો છે. ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 3 લાખ પર પહોંચવામાં આવ્યો છે. કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરતમાં નોંધાઈ રહ્યા છે. તો સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 27, 2021 | 12:07 PM

Gujarat Corona: સૌરાષ્ટ્રમાં કોરોનાનાં કેસમાં ધરખમ વધારો થયો છે તો સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં 329 કેસ નોંધાયા છે. તો કોરોનાને કારણે 9 દર્દીના મોત થયા છે. ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 3 લાખ પર પહોંચવામાં આવ્યો છે. કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરતમાં નોંધાઈ રહ્યા છે.

 

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેસ રાજકોટમાં 164 નોંધાયા છે. તો જામનગરમાં 47 કેસ નોંધાયા છે. અમરેલીમાં 20 કેસ નોંધાયા છે. જૂનાગઢ જિલ્લામાં 7 કેસ નોંધાયા છે તો મોરબીમાં કોરોનાના 19 કેસ નોંધાયા છે. કોરોનાનું સંક્ર્મણ વધતા સૌરાષ્ટ્રમાં વધુ 2.20 લાખ વેક્સીનના ડોઝ ફાળવવામાં આવ્યા છે. કોરોના સામેની મહામારીમાં રસીકરણ ઝુંબેશ ઝડપી બનાવવા સરકારએ આદેશ આપ્યો છે. જેમાં રાજકોટને 42 હજાર ડોઝ , જામનગરને 18 હજાર, પોરબંદરને 6 હજાર, મોરબીને 26 હજાર ડોઝ અને દ્વારકાને 20 હજાર ડોઝ રસી ફાળવવામાં આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona ના સામે આવેલા આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 613 , સુરતમાં 745, વડોદરામાં 187, રાજકોટમાં 164 કેસ, ભાવનગરમાં 40, જામનગરમાં 47, ગાંધીનગરમાં 40 કેસ,જૂનાગઢમાં 9, પાટણમાં 45, મહિસાગરમાં 25, નર્મદામાં 25, દાહોદમાં 20, કચ્છમાં 20, ખેડા, મહેસાણા-19, સુરેન્દ્રનગરમાં 17, આણંદમાં 15, સાબરકાંઠામાં 15, ભરૂચમાં 13 , પંચમહાલમાં 13-અને નવસારીમાં 12 કેસ નોંધાયા છે.ગુજરાતમાં હાલ કોરોનાના 10,134 એક્ટિવ કેસ છે. જેમાંથી 83 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તેમજ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 4479 લોકોનાં મોત થયા છે.  જેમાં રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યાએ 2000નો આંક પાર કરી લીધો છે. જેમાં આજે છેલ્લા 24 ક્લાકમાં કોરોનાના 2190 કેસ નોંધાતા રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે.

15 ફેબ્રુઆરીએ કોરોનાના 249 કેસ હતાં જે 25 માર્ચના રોજ એક મહિના બાદ વધીને 1961 એ પહોંચ્યા છે. આમ એક મહિનામાં કોરોનાના કેસમાં 1721 કેસનો ઉછાળો થયો છે. એટલે કે એક મહિનામાં કોરોનાના ચાર ગણા કેસ વધ્યા છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં લેતા હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે તેમજ હોળીની પ્રદક્ષિણાની સાથે સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે. પરંતુ હોળી દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ના થાય તથા કોરોના સબંધમાં પ્રવર્તમાન ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે.

દેશની આર્થિક રાજધાની મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5513 નવા કેસ નોધાંયા, જે અત્યાર સુધીનો સૌથી મોટો એક દિવસીય આંકડો છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">