GUJARAT : કોરોનાના કેસમાં ઉછાળો, નવા 61 કેસ નોંધાયા, સૌથી વધારે કેસ અમદાવાદમાં
આજે રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 25 જેટલા નોંધાયા છે. ગતરોજ અમદાવાદમાં કોરોનાના 17 કેસ નોંધાયા હતા. એટલે કે અમદાવાદમાં પણ એક દિવસમાં 8 કેસ વધ્યા છે. તો સુરતમાં સાત, ભાવનગરમાં 6 વડોદરામાં 6 કેસ જ્યારે વલસાડમાં પાંચ કેસ નોંધાયા છે.
GUJARAT : ઓમિકૉનની (0micron) દહેશત વચ્ચે રાજ્યમાં ફરી એક વખત કોરોના(corona) કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. ગઇકાલે રાજયમાં કોરોનાના 38 કેસ નોંધાયા હતા. જ્યારે આજે રાજયમાં કોરોનાના 61 કેસ સામે આવ્યા છે.આમ, એકાએક રાજયમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે. અને, રાજયમાં એક જ દિવસમાં 23 કેસ વધ્યા છે. જે કોરોનાની ત્રીજી લહેરની (corona Third wave) દસ્તક હોવાની શંકા સેવાઇ રહી છે.
ગુજરાતમાં દિવાળી બાદ કોરોના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો. બીજી ડિસેમ્બરે 50 કેસ નોંધાયા હતા.જ્યારે ઘણા સમય પછી રાજ્યમાં 61 નવા કેસ નોંધાયા છે.તો 39 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 26 જેટલા નોંધાયા છે.
ગતરોજ અમદાવાદમાં કોરોનાના 17 કેસ નોંધાયા હતા. એટલે કે અમદાવાદમાં પણ એક દિવસમાં 8 કેસ વધ્યા છે. તો સુરતમાં સાત, ભાવનગરમાં 6 વડોદરામાં 6 કેસ જ્યારે વલસાડમાં પાંચ કેસ નોંધાયા છે. જ્યારે આજે 39 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી એક પણ મોત નથી. રાજ્યમાં કોરોના રીકવરી રેટ 98.74 ટકા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 372 છે.. જેમાં 9 દર્દી વેન્ટીલેટર પર છે.. જ્યારે 363 દર્દી સ્ટેબલ છે. વધારે કેસ વચ્ચે લોકો રસીકરણને લઇને જાગૃત બન્યા છે. છેલ્લાં 24 કલાકમાં 3 લાખ 82 હજાર, 740 લોકોને કોરોના રસી આપવામાં આવી છે.
નોંધનીય છેકે હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત પ્રવર્તી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના નવા વેરિએન્ટ ઑમિક્રૉનની એન્ટ્રી થઇ ગઇ છે. ત્યારે કોરોના કેસમાં આવેલો ઉછાળો ફરી ચિંતાનું કારણ બની રહી છે.
આ પણ વાંચો : MAHISAGAR : વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રીવાળા 44 લોકો મળ્યા, તમામને હોમ કવોરન્ટાઇન કરાયા
આ પણ વાંચો : DRDO: જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ VL-SRSAMનું સફળ પરીક્ષણ, કોઈપણ દિશામાંથી આવતા દુશ્મનને નષ્ટ કરવામાં સક્ષમ