રાજયમાં સતત 10માં દિવસે કોરોનાનો આંક 1 હજારની નીચે, પાછલા 24 કલાકમાં 954 પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્યમાં સતત દસમા દિવસે કોરોનાનો આંક એક હજારની નીચે જોવા મળ્યો. રાજ્યમાં પાછલા 24 કલાકમાં 954 પોઝિટિવ કેસ નોંધાયા. તો 6 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાવાની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 75 હજાર 633ને પાર પહોંચી છે. તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,734 પર પહોંચ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં […]
રાજ્યમાં સતત દસમા દિવસે કોરોનાનો આંક એક હજારની નીચે જોવા મળ્યો. રાજ્યમાં પાછલા 24 કલાકમાં 954 પોઝિટિવ કેસ નોંધાયા. તો 6 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાવાની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 75 હજાર 633ને પાર પહોંચી છે. તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,734 પર પહોંચ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 52 હજાર 739 લોકોના ટેસ્ટ કરાયા. જ્યારે 1,197 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1 લાખ 59 હજાર 448 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીત્યો. તો હજુ પણ 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યના શહેરોની જો વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 198 પોઝિટિવ કેસ સાથે 3 દર્દીઓએ જીવ ગુમાવ્યો. જ્યારે અમદાવાદમાં 2 દર્દીઓના મોત સાથે 166 પોઝિટિવ કેસ નોંધાયા. તો મહેસાણામાં 39 કેસ સાથે એક દર્દીનું મોત થયું. જ્યારે વડોદરામાં 108 અને રાજકોટમાં 64 પોઝિટિવ કેસ નોંધાયા.
તો આ તરફ અમદાવાદમાં પણ કોરોના પોઝિટિવ આંકમાં અંશતઃ ઘટાડો જોવા મળ્યો. અમદાવાદ શહેર જિલ્લામાં પાછલા 24 કલાકમાં વધુ 166 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 2 દર્દીના કોરોનાથી મોત નિપજ્યા. અમદાવાદ શહેરમાં 154 પોઝિટિવ કેસ નોંધાવાની સાથે 150 દર્દીઓ સાજા થયા. તો અમદાવાદ જિલ્લામાં 12 દર્દીઓ સંક્રમિત થવાની સાથે 18 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો