VIDEO: રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી કેરોસીન અને અનાજના કાળાબજારમાં વધારો થયો!
રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી કેરોસીન અને અનાજના કાળાબજારમાં વધારો થયો હોવાનુ ખુલ્યું છે. જોને સ્વીકાર ખુદ રાજ્યસરકારે કર્યો છે. વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન કાળાબજારને લગતી વિગતો બહાર આવી હતી. જે મુજબ સુરેન્દ્રનગર, ભરૂચ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં કેરોસીન અને અનાજનું સૌથી વધુ કાળાબજાર થતુ હોવાનું ખુલ્યુ હતું. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]
રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી કેરોસીન અને અનાજના કાળાબજારમાં વધારો થયો હોવાનુ ખુલ્યું છે. જોને સ્વીકાર ખુદ રાજ્યસરકારે કર્યો છે. વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન કાળાબજારને લગતી વિગતો બહાર આવી હતી. જે મુજબ સુરેન્દ્રનગર, ભરૂચ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં કેરોસીન અને અનાજનું સૌથી વધુ કાળાબજાર થતુ હોવાનું ખુલ્યુ હતું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ સરકારી અનાજનું વેચાણ થતું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે સંત મોરારિ બાપુનો ઉલ્લેખ કર્યો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
છેલ્લા 2 વર્ષમાં સરકારે 17 હજારથી વધુ રેડ પાડીને 4.45 કરોડથી વધુનો ગેરકાયદે પુરવઠો જપ્ત કર્યો હતો. અને આવા એકમોને 2.31 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જો કે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, સરકારના ખુદના આંકડા સામે ફક્ત 7 કેસમાં જ કાર્યવાહી કરવામાં આવી છે. અને સરકાર કાળાબજારી અટકાવવામાં સરકાર નિષ્ફળ રહી છે. જો કે સરકારે પોતાની પરના તમામ આક્ષેપ ફગાવ્યા હતા. અને અન્નનાગરિક પુરવઠા પ્રધાને સરકાર પારદર્શિકતાથી જ કામ કરતી હોવાનો દાવો કર્યો છે. સાથે જ કાળાબજારી કરનારને છોડવામાં ન આવવાનો દાવો કર્યો.