ગુજરાતમાં 80 ટકા પોલીસકર્મીઓને કોરોનાની રસી અપાઈ
કોવિડ -19 વિરોધી Corona રસીકરણ અભિયાન અંતર્ગત ગુજરાત પોલીસના 80 ટકા પોલીસકર્મીઓને રસી આપવામાં આવી છે. એક અધિકારીએ મંગળવારે આ માહિતી આપી.
કોવિડ -19 વિરોધી Corona રસીકરણ અભિયાન અંતર્ગત ગુજરાત પોલીસના 80 ટકા પોલીસકર્મીઓને રસી આપવામાં આવી છે. એક અધિકારીએ મંગળવારે આ માહિતી આપી.સત્તાવાર આંકડા મુજબ, 1.32 લાખ જવાનોને Corona ની રસી આપવામાં આવી છે, જેમાંથી 81,000 નિયમિત પોલીસ કર્મચારી, 22,000 હોમગાર્ડ જવાન, 22,000 ગ્રામ રક્ષક અને લગભગ 4,000 ટ્રાફિક કર્મચારી છે.
ગુજરાત પોલીસ મહાનિર્દેશકની કચેરીએ જારી કરેલી યાદી મુજબ, જેલ વિભાગ, સીઆઈડી, રાજ્ય રિઝર્વ પોલીસ અને ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોના કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યના આરોગ્ય વિભાગ અને શહેરના એકમોએ પોલીસકર્મીઓને રસી અપાવવા માટે બૂથ સ્થાપ્યા છે. ગુજરાતમાં રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું અને પોલીસ જવાનોને 31 જાન્યુઆરીથી રસી આપવાની શરૂઆત કરી હતી.
યાદીમાં જણાવાયું છે કે 80 ટકા પોલીસકર્મીઓને રસી ડોઝ અપાય છે અને બાકીના કર્મચારીઓને બે થી ત્રણ દિવસમાં રસી આપવામાં આવશે.