Gujarat : કોરોનાના નવા 266 કેસ નોંધાયા, 1 દર્દીનું મોત
Gujarat : પાછલા 24 કલાકમાં રાજયમાં કોરોના નવા 266 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું છે.
Gujarat : પાછલા 24 કલાકમાં રાજયમાં કોરોના નવા 266 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું છે. આ સાથે અમદાવાદ શહેરમાં સૌથી વધારે 46 પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે સુરતમાં કોરોનાના નવા 37 કેસ ઉમેરાયા છે. આ ઉપરાંત વડોદરામાં 42 અને રાજકોટમાં 21 નવા કેસ નોંધાયા છે. હાલ રાજયમાં કોરોનાના કુલ 1684 એક્ટિવ કેસ છે. આજે કોરોનામાંથી 277 દર્દીઓએ મુક્તિ મેળવી હોવાથી રજા અપાઇ છે.
Latest Videos
Latest News