કાપડ પર GST દરમાં વધારો નહીં થાય, કાપડ પર GST 5 ટકા યથાવત રહેશે

નાણામંત્રીની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 46મી બેઠક સમાપ્ત થઈ ગઈ છે. આ સમગ્ર મામલે નાણામંત્રી 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે.

કાપડ પર GST દરમાં વધારો નહીં થાય, કાપડ પર GST 5 ટકા યથાવત રહેશે
GST કાઉન્સિલની 46મી બેઠક મળી
Follow Us:
| Updated on: Dec 31, 2021 | 2:55 PM

દેશની રાજધાની દિલ્હી (Delhi)માં નાણા પ્રધાન (Minister of Finance) નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)ની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 46મી બેઠક મળી હતી. બેઠકમાં સસ્તા કપડા પર જીએસટી દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવા પર સહમતિ સધાઈ ન હતી. તેનાથી સામાન્ય માણસને મોટી રાહત મળશે. નવા વર્ષમાં હવે રેડીમેડ કપડા મોંઘા નહીં થાય.

હિમાચલ પ્રદેશના ઉદ્યોગ પ્રધાન વિક્રમ સિંહનું કહેવું છે કે કાપડ પર જીએસટી વધારવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. GST કાઉન્સિલની આગામી બેઠક ફેબ્રુઆરી 2022માં યોજાશે.

બેઠકમાં તમિલનાડુના નાણા પ્રધાને કહ્યું કે આ સમયે કાપડ પર જીએસટી દર વધારવાના પ્રસ્તાવને લાગુ કરવો યોગ્ય નથી. કારણ કે કોરોના મહામારી હજુ પણ ચાલી રહી છે. કાપડ ઉદ્યોગ હજુ પણ મુશ્કેલીમાંથી બહાર નથી આવ્યો. મહત્વનું છે કે GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પરના તમામ નિર્ણયો GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવે છે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય નાણા પ્રધાને કરી. તેમજ રાજ્યોના નાણા પ્રધાનો પણ તેમાં ભાગ લીધો.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

GST કાઉન્સિલની 46મી બેઠકમાં ભાગ લેનારા ઘણા રાજ્યોના નાણા પ્રધાનો સપ્ટેમ્બરમાં કાપડ અને ફૂટવેર ઉદ્યોગ દ્વારા લેવામાં આવેલા નિર્ણયની વિરુદ્ધ હતા. આ બેઠકમાં 1 જાન્યુઆરીથી કપડાં અને ફૂટવેર પરના જીએસટી દરમાં વધારો કરીને ડ્યુટી સ્ટ્રક્ચરમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સામાન્ય માણસ કપડાં અને પગરખાં પર કેટલો ટેક્સ ચૂકવે છે?

1000 રૂપિયા સુધીના શૂઝ પર 5 ટકા GST વસૂલવામાં આવે છે. કપડાંની વાત કરીએ તો માનવ નિર્મિત ફાઇબર, યાર્ન અને કાપડ પર GSTનો દર હાલમાં 18 ટકા, 12 ટકા અને 5 ટકા છે.

જૂતાની જેમ 1,000 રૂપિયાના કપડાં પર 5 ટકા જીએસટી લાગે છે. આર્ટિફિશિયલ અને સિન્થેટિક યાર્ન પર જીએસટીનો દર બદલીને 12 ટકા કરવામાં આવ્યો છે. પરંતુ કોટન, સિલ્ક, વૂલ યાર્ન જેવા કુદરતી યાર્ન પર 5 ટકા ટેક્સ લાગે છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર ટેક્સ દ્વારા કેટલી કમાણી કરે છે?

નાણા રાજ્ય પ્રધાન પંકજ ચૌધરીએ સંસદના શિયાળુ સત્રમાં જણાવ્યું હતું કે એપ્રિલ 2021 થી 7 ડિસેમ્બર 2021 સુધીમાં કેન્દ્ર સરકારની કુલ આવક 7.39 લાખ કરોડ રૂપિયા હતી. તેમાં રૂ. 3 લાખ 63 હજાર કરોડનો કોર્પોરેટ ટેક્સ, રૂ. 3 લાખ 61 હજાર કરોડનો વ્યક્તિગત આવકવેરો અને રૂ. 15 હજાર 375 કરોડનો અન્ય આવકવેરો, જેમાં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે એસટીટીનો સમાવેશ થાય છે.

નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે લોકડાઉનથી પ્રભાવિત નાણાકીય વર્ષ 2021માં ચોખ્ખી આવકવેરા સંગ્રહ રૂ. 9.45 ટ્રિલિયન હતો. જો કે, કોવિડ પહેલાના વર્ષ દરમિયાન એટલે કે નાણાકીય વર્ષ 2020 દરમિયાન કલેક્શન રૂ. 10.51 ટ્રિલિયન હતું.

જ્યારે નાણાકીય વર્ષ 2019માં આ કલેક્શન 11.38 ટ્રિલિયન રૂપિયા હતું. તમને જણાવી દઈએ કે આ નાણાકીય વર્ષ પૂરું થવામાં લગભગ ચાર મહિના બાકી છે. 7 ડિસેમ્બર સુધી આવકવેરાની વસૂલાત નાણાકીય વર્ષ 2011ના સંપૂર્ણ વર્ષના સંગ્રહના 80 ટકા અને નાણાકીય વર્ષ 2010ના 70 ટકા જેટલી હતી.

નવેમ્બરમાં જીએસટી કલેક્શન રૂ. 1.32 ટ્રિલિયન હતું. આ આંકડો માત્ર આ વર્ષે જ નહીં પરંતુ દેશમાં ટેક્સ લાગુ થયા પછીનો બીજો સૌથી વધુ છે.

આ પણ વાંચોઃ ગુજરાત સરકારના ભરતી વિવાદના મહાયજ્ઞમાં વધુ એક ભરતી હોમાઈ, જાણો શું છે મુખ્ય સેવિકાના ઉમેદવારોનો પ્રશ્ન

Latest News Updates

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">