Gram Panchayat Election : નવસારી જિલ્લાનું એક માત્ર સમરસ ગામ દાંડી, જયાં 51 વર્ષથી પંચાયતની ચૂંટણી યોજાઇ નથી

નવસારીના દાંડી ગામમાં આજે પણ ગાંધી મૂલ્યો જળવાયા હોય એમ ગામના દરેક ફળિયાના સ્વરાજ ફળિયું, આઝાદ ફળિયું જેવા નામોથી ઓળખાય છે. અને જિલ્લાની એક માત્ર પ્રથમ સમરસ પંચાયત તરીકે જીવંત છે.

Gram Panchayat Election : નવસારી જિલ્લાનું એક માત્ર સમરસ ગામ દાંડી, જયાં 51 વર્ષથી પંચાયતની ચૂંટણી યોજાઇ નથી
દાંડી ગામ-નવસારી જિલ્લો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 5:52 PM

Gram Panchayat Election : સમગ્ર રાજ્યમાં 10,000થી વધુ ગ્રામપંચાયત ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે. ત્યારે નવસારી (Navsari) જીલ્લામાં પણ 310 ગામપંચાયતની ચૂંટણી યોજાશે. પરંતુ જીલ્લાનું દાંડી ગામ (DANDI) એક એવું ગામડું છે. જ્યાં 51 વર્ષથી પંચાયતની ચૂંટણી યોજાઈ જ નથી. જ્યારે આ વર્ષે પણ દાંડીએ (Samaras village)સમરસ ગ્રામપંચાયત બની રહેશે.

દેશની આઝાદીમાં મુખ્યભૂમિકા ભજવનાર મહાત્મા ગાંધીજી (Gandhi) નવસારીના દાંડી ગામે હાલમાં પણ જીવંત બનીને લોક હૃદયમાં બિરાજી રહ્યા છે, ત્યારે આઝાદીનું પ્રવેશદ્વાર ગણાતા ગાંધીના દાંડીમાં આઝાદીની ચળવળને યાદ કરીને ઐતિહાસિક લડતનું સાક્ષી દાંડી ગામ સમરસ ગ્રામ પંચાયત તરીકે હાલ પણ અડીખમ છે. આઝાદીની ઐતિહાસિક ઘટનાને (DANDI) દાંડી ગામના જન-માનસમાંથી ભુલાતી નથી. અને ગામજનો પણ ન ભૂલ્યા હોય એમ છેલ્લા 51 વર્ષથી ગામમાં સરપંચની ચૂંટણી થઇ નથી. જ્યાં માત્ર સર્વાનુમતે સરપંચની(Sarpanch) પસંદગી જ થાય છે. અને આ વર્ષે પણ સરપંચની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. જેને કારણે આ વર્ષે પણ દાંડી ગામ પંચાયત જીલ્લાની પ્રથમ સમરસ ગામ પંચાયત બની જશે.

દેશની આઝદી પછી જેવું ગાંધીમૂલ્યોનુ સિંચન થવું જોઈએ એટલા પ્રમાણમાં થઇ શક્યું નથી. જે આપણા દેશની નબળાઇ કહી શકાય. પરંતુ ગાંધી બાપુને હજીપણ જીવંત જોવા હોય તો પવિત્ર ગણતા દાંડી ગામે (DANDI) જોઇ શકાય છે ભલે બાપુએ દેહ છોડ્યો છે. પરંતુ વિચારો દાંડી ગામના લોકો માટે મીઠું સંભારણું બની ગયા છે. જેના કારણે ગંદા રાજકારણથી દાંડી ગામ દુર રહ્યું છે. જ્યારથી પંચાયતી રાજની શરૂઆત થઇ ત્યારથી દાંડી ગામે ચુંટણી થઇ નથી. અને ગ્રામજનો મળીને ગામના યુવાનો ભેગા મળી નક્કી કરીને આજ સુધી કાર્યભાર સાંભળી રહ્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ગાંધી (Gandhi) વિચારોને આજની પેઢી અપનાવવા માટે તૈયાર નથી એવું કેટલીક જગ્યાએ જોવા મળી રહ્યું છે. પરંતુ દેશને આઝાદ કરનાર બાપુ એવા વિભૂતિ હતા. કે એમના જીવન ચારિત્ર્ય પર ૪૦ હજાર પુસ્તકો લખાયા છે અને વિશ્વની દરેક ભાષામાં અનુવાદ થયું છે. ત્યારે નવસારીના દાંડી ગામમાં આજે પણ ગાંધી મૂલ્યો જળવાયા હોય એમ ગામના દરેક ફળિયાના સ્વરાજ ફળિયું, આઝાદ ફળિયું જેવા નામોથી ઓળખાય છે. અને જિલ્લાની એક માત્ર પ્રથમ સમરસ પંચાયત તરીકે જીવંત છે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">