કયા કારણોથી સોનાના ભાવ 55000 થયા ? જુઓ આ અહેવાલ

સોનામાં આગજરતી તેજીના કારણે ભાવ આસમાને પહોચ્યા છે. અમદાવાદના જવેલર્સ માર્કેટમાં એક તોલા સોનાના ભાવ વધીને 55 હજારે પહોચ્યા છે. ત્યારે આ ભાવ વધારા માટેના કારણો અનેક હોવાનુ વેપારીઓ કહી રહ્યાં છે. છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં 35 ટકાનો વધારો થયો છે. ખાસ કરીને કોરોનાકાળને લીધે વિદેશથી સોનાની આયાત ઓછી થઈ રહી હોવાનું માનવામાં આવી […]

કયા કારણોથી સોનાના ભાવ 55000 થયા ? જુઓ આ અહેવાલ
Follow Us:
| Updated on: Jul 31, 2020 | 9:33 AM

સોનામાં આગજરતી તેજીના કારણે ભાવ આસમાને પહોચ્યા છે. અમદાવાદના જવેલર્સ માર્કેટમાં એક તોલા સોનાના ભાવ વધીને 55 હજારે પહોચ્યા છે. ત્યારે આ ભાવ વધારા માટેના કારણો અનેક હોવાનુ વેપારીઓ કહી રહ્યાં છે. છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં 35 ટકાનો વધારો થયો છે. ખાસ કરીને કોરોનાકાળને લીધે વિદેશથી સોનાની આયાત ઓછી થઈ રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત માર્ચ મહિનામાં સોનાના ભાવ 40 હજાર હતા તે લોકડાઉન અને કોરોનાકાળમાં વધીને 55 હજારે પહોચી ગયા છે. જેના કારણે લોકો સોનામા સુરક્ષિત રોકાણ સમજીને મોટાપ્રમાણમાં મૂડીરોકાણ કરી રહ્યાં છે. સોનાના ભાવમાં 35 ટકાનો વધારો થયો છે. પરંતુ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના અહેવાલ મુજબ 26 વર્ષના સમયગાળામાં સૌથી ઓછો વપરાશ આ વર્ષે થયો છે. 2020ના પ્રથમ છ મહિનામાં સોનાનો વપરાશ 56 ટકા ઘટયો હોવાનું વેપારીઓ કહી રહ્યાં છે. ગયા વર્ષે 800થી 900 ટન સુધીની આયાત થઈ હતી. જેની સામે આ વર્ષે જાન્યુઆરીથી જૂન સુધીના છ મહિનામાં માત્ર 75 ટન સોનાની આયાત થવા પામી છે.

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">