Summer 2022: ગીર સોમનાથ જિલ્લાવાસીઓ માટે ખુશ ખબર, પાણીની સમસ્યા પર જાણો શું કહ્યું સિંચાઈ વિભાગે

સૌરાષ્ટ્રમાં (Saurashtra) ગત વર્ષે ચોમાસુ (Monsoon) ખૂબ સારું રહ્યું હતું. જેથી સૌરાષ્ટ્રમાં સિંચાઈ વિભાગ હસ્તકના 140 ડેમો 100 ટકા સુધી ભરાઈ ગયા હતા.

Summer 2022: ગીર સોમનાથ જિલ્લાવાસીઓ માટે ખુશ ખબર, પાણીની સમસ્યા પર જાણો શું કહ્યું સિંચાઈ વિભાગે
Hiran dam (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2022 | 7:47 AM

ગુજરાતમાં (Gujarat) ઉનાળા (Summer ) દરમિયાન અનેક સ્થળોએ પાણીની અછતની ફરિયાદો સામે આવી છે. જો કે ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લા માટે મહત્વની વાત એ છે કે અહીં આ વર્ષે પાણીની સમસ્યાનો સામનો લોકોએ નહીં કરવો પડે. સિંચાઇ વિભાગના (Irrigation Department)જણાવ્યા પ્રમાણે જિલ્લામાં આવેલા પાંચેય ડેમોમાં હાલ સારા પ્રમાણમાં પાણી છે. જેના કારણે લોકોને પીવાના અને ખેડૂતોને સિંચાઇના પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

સૌરાષ્ટ્રમાં ગત વર્ષે ચોમાસુ ખૂબ સારું રહ્યું હતું. જેથી સૌરાષ્ટ્રમાં સિંચાઈ વિભાગ હસ્તકના 140 ડેમો 100 ટકા સુધી ભરાઈ ગયા હતા. હવે આ વર્ષે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે પણ ગીર સોમનાથ જિલ્લાનાં તમામ ડેમોની સ્થિતિ ખૂબ સારી છે. ઉનાળુ પાક માટે પણ ખેડૂતોને પાણી આપવામાં આવી રહ્યુ છે. ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય 5 ડેમો આવેલા છે. જેમાં શિંગોડા, મચ્છુન્દ્રી, રાવલ, હિરણ-1 અને હિરણ-2. આ પાંચેય ડેમોમાં હાલ પૂરતા પ્રમાણમાં પાણી ભરાયેલું છે. રવિપાક માટે જિલ્લાનાં ખેડૂતોને કેનાલો મારફતે પાણી આપવામાં આવે છે. તો ઉનાળુ પાક માટે પણ સિંચાઈનું પાણી આપવામાં આવશે. આમ છતાં પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં બચશે.

ગીરનાં ડેમોનો પાણીની વર્તમાન સ્થિતિ જોઈએ તો હિરણ-1 માં 850 MCFT પાણી છે, હિરણ-2 ડેમમાં 750 MCFT , શીંગોડા ડેમમાં 700 MCFT છે. રાવલ અને મચ્છુન્દ્રી ડેમમાં પણ આશરે 900 MCFT પાણીનો જીવંત જથ્થો સંગ્રહાયેલો છે. તો સાથે જ ગીરમાં આવેલા ડેમના કમાન્ડ વિસ્તારમાં બંને પાણી પૂરતા પ્રમાણમાં કેનાલ મારફતે ખેડૂતોને મળી રહેશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ સાથે પીવાનું પાણી પણ ઉના,દીવ, કોડીનાર,વેરાવળ અને તાલાળા શહેરને વ્યવસ્થિત મળી રહે તેટલો પાણીનો જથ્થો ગીરનાં ડેમોમાં સચવાયેલો છે. તો વન્ય પ્રાણીઓ માટે 100 MCFT પાણીનો જથ્થો અનામત રાખવામાં આવશે. આમ ગીરનાં ડેમોમાં 50 થી 80 ટકા જેટલું પાણી આકરો ઉનાળો હોવા છતાં હજુ સચવાયેલું છે. સૌરાષ્ટ્રનાં અન્ય ભાગોમાં ઉનાળા દરમિયાન કદાચ પાણીની તંગી અનુભવાય. પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં ક્યાય ઉનાળાનાં 4 મહિના દરમિયાન પાણીની તંગી રહેશે નહીં.

વર્તમાન સમયમાં ગીરનાં ડેમોની સ્થિતિ ખુબજ સારી છે. જેને લઈ ખેડૂતો અને ગીર સોમનાથ જિલ્લાનાં ખેડૂતોમાં રાહતનો અનુભવ છે. ગીર જંગલમાં જે વરસાદ પડે છે તે તમામ પાણી આ પાંચ ડેમોમાં ઠલવાય છે. સૌરાષ્ટ્રનો આ પ્રદેશ અદભુત ભૌગોલિક સ્થિતિ ધરાવતો હોવાથી પાણીના ભંડાર ભરપૂર રહે છે. જો આ વર્ષે ચોમાસું ખેંચાય તો પણ ઓગષ્ટ માસ સુધી ચાલે તેટલું પાણી ગીરનાં તમામ ડેમોમાં છે. એક હિરણ-2 ડેમમાં સામાન્ય ઘટ આવવાની શક્યતા છે તે પણ ઓગષ્ટ માસ પછી. જેના કારણે ગીર સોમનાથ જિલ્લાના રહેવાસીઓમાં રાહતનો અનુભવ છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">