SOMNATH : આવતીકાલથી સોમનાથ મંદિર સવારે 6 થી રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, ભક્તોએ આ નિયમો પાળવા પડશે
Somnath temple : સવાર, બપોર અને સાંજની આરતીમાં પણ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે, પરંતુ ભાવિકોએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપાલન કરવાનું રહેશે.
SOMNATH : ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મંદિર (Somnath temple)અંગે એક સારા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલ 17 જુલાઈથી સોમનાથ મંદિર સવારે 6 થી રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આવતીકાલથી ભગવાન સોમનાથના દર્શને આવતા ભાવિકો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સવાર, બપોર અને સાંજની આરતીમાં પણ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે, પરંતુ ભાવિકોએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપાલન કરવાનું રહેશે. કોઈ પણ ભાવિક ભક્ત મંદીરમાં ઉભા રહી શકશે નહીં, સતત ચાલતા જ આરતી, દર્શન કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાની બીજી લહેર દરમિયાન કોરોના વાયરસના કેસો વધતા રાજ્ય સરકારે કોરોના ગાઈડલાઈન અંતર્ગત તમામ મંદિરો અને તીર્થસ્થાનો પર પ્રવેશ બંધ કરાવ્યો હતો. મંદિરો અને યાત્રાધામોએ પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તીર્થસ્થાનો અને મંદિરોએ પણ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરતા ભક્તો માટે કડક નિયમો બનાવ્યા હતા.
એપ્રિલ મહિનામાં બંધ કરવામાં આવ્યું હતું મંદિર ગુજરાતમાં એપ્રિલ મહિનામાં કોરોના વાયરસના રેકોર્ડ બ્રેક કેસો નોંધાઈ રહ્યાં હતા. કોરોના સંક્રમણ વધતા સોમનાથ મહાદેવ મંદિર ઉપરાંત ટ્રસ્ટ હસ્તકના અન્ય 6 મંદિરો બંધ કરવામાં આવ્યા છે. લોકોહિતમાં સોમનાથ મંદિરના ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સોમનાથ મહાદેવ મુખ્ય મંદિર, રામ મંદિર, અહલ્યાબાઈ જૂનું સોમનાથ મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, ગીતા મંદિર દેહોત્સર્ગ, ભાલકા મંદિર, ભીડભંજન મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. કોરોનાના કારણે બીજી વાર સોમનાથ મહાદેવ મંદિર બંધ રહ્યું હતું. કોરોનાના કારણે ગત વર્ષે પ્રથમ લહેરમાં માર્ચથી 80 દિવસ મંદિર બંધ રાખવામાં આવ્યું હતું.
મંદિર બંધ થતા ટ્રસ્ટની વેબસાઇટ અને સોશિયલ મીડિયાના ઓફિશયલ પેજ પરથી ભાવિકો ઘર બેઠાં સોમનાથ મહાદેવના લાઇવ દર્શન કરી શકે આવી સુવિધા ઉભી કરવામાં આવી હતી.
આજે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યા ભગવાન સોમનાથના દર્શન આજે 17 જુલાઈના રોજ રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા ભગવાન સોમનાથના દર્શન કરવા સોમનાથ મંદિર પહોચ્યા હતા. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ભગવાન સોમનાથની પૂજા આરતી કરી ધન્યતા અનુભવી હતી.