Gir Somnath: વિદાય લેતા વરસાદથી લીલા દુકાળ જેવી સ્થિતિ, ખેતરોમાં પાણી ભરાતા મગફળીનો પાક બરબાદ

ગીર સોમનાથના (Gir Somnath) વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર અને ઉના સહિતના તમામ તાલુકાના ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં છે. ખેડૂતોના ખેતરમાં લણવા તૈયાર કરાયેલા મગફળીનાં પાથરા જુઓ તો એ પાણીમાં તરી રહ્યા છે.

Gir Somnath: વિદાય લેતા વરસાદથી લીલા દુકાળ જેવી સ્થિતિ, ખેતરોમાં પાણી ભરાતા મગફળીનો પાક બરબાદ
વરસાદથી મગફળીના પાકને નુકસાન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2022 | 3:13 PM

ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં નવરાત્રીની (Navratri 2022) શરૂઆતમાં જ પડેલા વરસાદે લીલા દુકાળ જેવી સ્થિતિ ઉભી કરી છે. ખેડૂતોએ (Farmers) મગફળીની આગોતરા વાવણી કરી હતી, તેમાં પાછોતરા વરસાદને (Rain) કારણે ભારે નુકસાન થયું છે. બીજી તરફ સરકાર તરફથી મદદની કોઈ પહેલ ન થતાં ખેડૂતો બેવડી મુશ્કેલીમાં છે. ગીર સોમનાથ જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાયેલા છે. ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી છે.

પાકી ગયેલી મગફળી થઈ બરબાદ

ગીર સોમનાથના વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર અને ઉના સહિતના તમામ તાલુકાના ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં છે. ખેડૂતોના ખેતરમાં લણવા તૈયાર કરાયેલા મગફળીના પાથરા જુઓ તો એ પાણીમાં તરી રહ્યા છે. વરસાદ બાદ જે ખેડૂતોએ આગોતરી મગફળી વાવી હતી તે મગફળી પાકી ગઈ છે તેને પણ 10 દિવસથી વધુ થઈ ગયા છે. જો ખેડૂતો મગફળી ન કાઢે તો સડવા લાગે અને રાત્રડ નામનો રોગ પણ ફેલાતો જોવા મળી શકે છે. આ જોતાં ગીરના ખેડૂતોએ મગફળી ઉપાડી તેના પાથરા ખેતરમાં કર્યા હતા અને ત્યાં જ ફરી વરસાદ ખાબક્યો. આમ ખેડૂતોનાં હાથમાંથી મગફળીનો પાક તો ગયો, પરંતુ પશુનો ચારો પણ ન બચ્યો.

સમગ્ર ગીર વિસ્તારમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થાય છે. જેમાંથી મોટાભાગનું આગોતરૂ વાવેતર છે. જો તે સમયસર ન લણે તો ખેડૂતોના હાથમાં કશું ન રહે અને જો બહાર કાઢે તો વરસાદ બરબાદ કરી નાખે. આમ ખેડૂતોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ખેડૂતો કરી રહ્યા છે વળતરની માગ

સુત્રાપાડા તાલુકામાં સીઝનનો પહેલો વરસાદ જ પુષ્કળ હતો. હાલ પણ આ વરસાદ તૈયાર પાકનો નાશ કરી રહ્યો છે. આ તો થઈ ખેડૂતોની વાત. બીજી તરફ પશુપાલકોનો દૂધનો વેપાર અને આવક પણ હતી, પરંતુ લમ્પી વાયરસના કારણે પશુઓના મોત થયા જેને કારણે દૂધની આવક પણ ઘટી. અહીંના ખેડૂતો કહી રહ્યા છે એક તરફ કુદરત રૂઠી છે તો બીજી તરફ સરકાર પણ નારાજ હોય તેવું લાગે છે. આ જોતાં તેઓ સરકાર પાસે વળતરની માગ કરી રહ્યા છે. આમ ગીરસોમનાથ જીલ્લાના ખેડૂતોને બેવડો નહીં પણ ત્રેવડો માર પડ્યો છે એવું કહી શકાય.

(વીથ ઇનપુટ-યોગેશ જોષી, ગીર સોમનાથ)

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">