Gir SOMNATH : પ્રોટોકોલ મુજબ મહેમાનગતિ માણવી છત્તીસગઢના બે વકીલોને ભારે પડી, બંને હાલ જેલના સળિયા પાછળ

પ્રોટોકોલની માગ કરનાર છત્તીસગઢના વકીલ શરદ પાંડે અને જય પ્રકાશ પાંડે બન્ને સગાભાઈ કે જેવો દ્વારકા ખાતે પણ protocol મુજબ મહેમાનગતિ માણી ચૂક્યા હતા. અને માત્ર 24 સો રૂપિયા બાબતે માથાકૂટ કરતા ત્યાં અયોગ્ય જજને ન છાજે તેવૂ વર્તન કર્યું હતું.

Gir SOMNATH : પ્રોટોકોલ મુજબ મહેમાનગતિ માણવી છત્તીસગઢના બે વકીલોને ભારે પડી, બંને હાલ જેલના સળિયા પાછળ
છત્તીસગઢના વકીલો જેલના સળિયા પાછળ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 12:28 PM

Gir SOMNATH :  નાતાલની રજાઓમાં સોમનાથમાં ભારે ભાવિકો ઉમટતા હોય છે. ત્યારે પ્રોટોકોલ માટે નકલી ઓળખ ઊભી કરી મોદીજી અને અમીત શાહના નજીકના પરીચીત બતાવી અને મહેમાનગતિ માણવા જતા છત્તીસગઢના બે વકીલ યુવાનો જેલના સળીયા પાછળ ધકેલાયા છે. તો આ આરોપીઓ દ્વારકામાં પણ રૂઆબ સાથે મફતની મહેમાનગતિ માણી આવ્યા હતા. પ્રભાસ પાટણ પોલીસે બન્નેને ઝડપી લીધા છે.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના પ્રાંત અધિકારી સરયુ જનકાતને ફોન આવેલો કે અમો હાઇકોર્ટના જજ સાથે સોમનાથ આવી રહ્યા છીએ. હું આઇ.એ.એસ અધિકારી શરદ પાંડે બોલું છું. અને જજ સાહેબ સહિતના મહેમાનોને સોમનાથ, દીવ અને સાસણગીર સહિત વિસ્તારમાં આવવાનું હોય તેમને રહેવા જમવા સહિત protocol ની વ્યવસ્થા કરજો. ત્યારે આવા protocol સરકાર દ્વારા કલેકટર અથવા એસપી કક્ષાએથી ફેક્સથી આવતા હોય છે. પરંતુ સીધો જ આવો ફોન આવતા પ્રાંત અધિકારીએ કલેક્ટરને આ બાબતની જાણ કરી હતી.

ત્યારે આ પ્રોટોકોલની માંગ કરનાર છત્તીસગઢના વકીલ શરદ પાંડે અને જય પ્રકાશ પાંડે બન્ને સગાભાઈ કે જેવો દ્વારકા ખાતે પણ protocol મુજબ મહેમાનગતિ માણી ચૂક્યા હતા. અને માત્ર 24 સો રૂપિયા બાબતે માથાકૂટ કરતા ત્યાં અયોગ્ય જજને ન છાજે તેવૂ વર્તન કરેલ, જેથી દ્વારકા એસડીએમએ વેરાવળ એસડીએમ સરયૂ જણકાતને આ વીગત જણાવી હતી.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

ત્યારે ગીર સોમનાથ જિલ્લા કલેકટર એસ.પી વગેરેએ આ લોકો સોમનાથ મંદિરે પહોંચતાં તેમની પૂછપરછ શરૂ કરેલી તેમની પાસેથી ઓળખકાર્ડ માગતાં, તેમની પાસે આધાર પુરાવા કે સંતોષકારક જવાબ ન મળતા અને પોલીસની પ્રાથમિક તપાસમાં શરદ પાંડે પાસેથી પી.એસ.આઇનું ઓળખ કાર્ડ મળી આવતા પોલીસે ગુનો દાખલ કરી અને બંનેની ધરપકડ કરી હતી. અને બન્નેને સાત દિવસના રિમાન્ડ માટે વેરાવળ કોર્ટમાં રજુ કર્યા છે.

પ્રભાસપાટણ પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરતાં આ અગાઉ તેમણે અન્ય જગ્યાએ છેતરપિંડી કરી છે કે કેમ ? તેમજ તેઓ છત્તીસગઢના જે મહિલા મેજિસ્ટ્રેટ કે જેવો ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ હોય જેને હાઇકોર્ટના જજ બતાવી અને સરકારી protocol નો  દુરુપયોગ કરી રહ્યા હોય તે તમામ પાસાઓની હાલ ગીર સોમનાથ જિલ્લા પોલીસ તપાસ ચલાવી રહી છે. આ બનાવે વહીવટી અને પોલીસ તંત્રમાં ભારે ચર્ચા જગાવી છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">