Gir somnath: અંધશ્રદ્ધામાં ડૂબેલા બાપે દીકરીની બલી ચઢાવી હોવાની આશંકા, ઘટનાસ્થળેથી મળી આવ્યા કપડાં અને રાખનો થેલો, વાંચો અરેરાટીભરી ઘટનાની સમગ્ર વિગતો

અકાળ મોતને ભેટેલી  14 વર્ષની માસુમ બાળકી ધોરણ 9 માં અભ્યાસ કરે છે.બાળકીના પિતા દ્વારા બાળકીના મોત અંગે ગોલ ગોળ નિવદનો અપાતા હાલ તો તેના પિતા ઉપર શંકાની સોય તણાયેલી છે અને ઘટના સ્થળેથી પોલીસને વાડીમાંથી 2 કોથળા અને એક રાખ ભરેલી પ્લાસ્ટિકની થેલી મળી આવી છે.

Gir somnath: અંધશ્રદ્ધામાં ડૂબેલા બાપે દીકરીની બલી ચઢાવી હોવાની આશંકા, ઘટનાસ્થળેથી મળી આવ્યા  કપડાં અને રાખનો થેલો, વાંચો અરેરાટીભરી ઘટનાની સમગ્ર વિગતો
ગીર સોમનાથમાં કિશોરીની તેના પિતાએ જ બલિ ચઢાવી કરી હતી હત્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2022 | 2:42 PM

દીકરી પિતા માટે વ્હાલનો દરિયો હોય છે, પરંતુ ગીર સોમનાથમાંથી  (Gir somnath) એવી ઘટના સામે આવી છે કે જે અંગે સાંભળીને કે વાંચીને કોઈ પણ વ્યકતિના રૂંવાડા ઉંભા થઈ જાય. ઘટના એવી છે કે સગા બાપે જ પુત્રીની ગળું કાપી બલી ચડાવી દીધી હોવાની આશંકા છે ગીર સોમનાથના તાલાલાના  (Talala) ધાવા ગીર ગામમાં ભાવેશ અકબરી નામના શખ્સે પોતાની 14 વર્ષની બાળકીની 8માં નોરતાની રાત્રે બલી ચડાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરોરાટી વ્યાપી ગઈ હતી જેણે જેણે આ  ઘટના અંગે સાંભળ્યું કે વાંચ્યું તેઓ  આ બાપ પર ફિટકાર વરસાવી રહ્યા છે.

આઠમની રાત્રીએ તાંત્રિક વિધી કરી હોવાની આશંકા

પોલીસને બાતમી મળી હતી કે ગીર સોમનાથના તાલાલાના ધાવા ગીર ગામમાં ભાવેશ અકબરી નામના શખ્સે પોતાની 14 વર્ષની બાળકીની 8માં નોરતાની રાત્રે બલી ચડાવી છે અને વિદી કર્યા બાદ કિશોરીને પુનછ જીવિત કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો જોકે અંધશ્રદ્ધામાં ડૂબેલા બાપને એ વાતની ખાતરી થઈ કે દીકરી હવે ક્યારેય જીવતી નથી થવાની ત્યારે વાડી વિસ્તારમાં જ તેના અંતિમ વિધી કરી દેવામાં આવી હતી સૂત્રોએ જણાવ્યા પ્રમાણે બાળકીના મૃતદેહને 4 દિવસ સુધી ગોદડામાં વિટાળી રાખ્યા બાદ બાળકીની અંતિમવિધિ કરાઇ હતી.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

આ ઘટના અંગે એસ.પી. મનોહર સિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદ આયોજિત કરી હતી અને જણાવ્યું હતું કે ભાવેશ અકબરી નામનો વ્યક્તિ સુરતનો રહેવાસી છે પરંતુ છેલ્લા 8 મહિનાથી અહીં પોતાના વતનમાં રહેવા આવ્યો છે અને મૃતક કિશોરી ધૈર્યાના માતા પિતા શંકના દાયરામાં છે.  અકાળ મોતને ભેટેલી  14 વર્ષની માસુમ બાળકી ધોરણ 9 માં અભ્યાસ કરે છે.બાળકીના પિતા દ્વારા બાળકીના મોત અંગે ગોલ ગોળ નિવદનો અપાતા હાલ તો તેના પિતા ઉપર શંકાની સોય તણાયેલી છે અને ઘટના સ્થળેથી પોલીસને વાડીમાંથી 2 કોથળા અને એક રાખ ભરેલી પ્લાસ્ટિકની થેલી મળી આવી છે. એક કોથળામાંથી રાખ અને કપડાં મળી આવ્યા હોવાની પ્રાથમિક માહિતી પણ સામે આવી રહી છે. આ ઘટનાની વૈજ્ઞાનિક ઢબે પણ તપાસ ચાલી રહી છે. બનાવ સ્થળે થી મળેલ પુરાવા ના fsl રિપોર્ટ બાદ પોલીસ કોઈ નિષ્કર્ષ પર આવશે. હાલ બાળકી ના પિતા સહિત પરિવારના ચાર લોકો નું ઇન્ટરોગેશન ચાલુ છે. જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ ઘટનાસ્થળની મુલાકાત પણ લીધી હતી.

Gir narbali incident interrogation

તાલાળાના ધાવા ગામે વાડી વિસ્તારમાં ચાલી રહેતી તપાસ

કિશોરીના મૃત્યુની  નોંધ ગામ પંચાયતમાં પણ નહીં

આ અંગે ગ્રામજનોએ કહ્યું હતું કે  બાળકીના મૃત્યુની કોઈ નોંધ ગ્રામ પંચાયતમાં પણ થઈ નથી. માસુમ દીકરી સાથે જે કઈ અઘટિત ઘટના બની છે તેની હક્કીત સામે આવી જોઈએ અને તેમાં જે કોઈ દોષિત હોય તેને દાખલારૂપ કડક સજા થવી જોઈએ તેવી ગ્રામજનો આક્રોશભેર માંગ કરી રહ્યા છે.  જે સ્થળે ઘટના બની હોવાની આંશકા વ્યક્ત થઈ છે ત્યાંથી પોલીસને મળેલા પુરાવાઓ FSLમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. જેનો રીપોર્ટ આવ્યા બાદ પોલીસ કોઈ નિષ્કર્ષ પર આવી શકશે. હાલ પોલીસ દ્વારા બાળકીના પિતા સહિત ચાર લોકોની પૂછપરછ કરી રહી છે.

વિજ્ઞાન જાથાએ આપ્યો આ મત

તો બીજી તરફ આ મામલે વિજ્ઞાન જાથાની પણ સક્રિયતા જોવા મળી હતી. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું કે 21મી સદીમાં આ ઘટના શરમજનક, ધુણાસ્પદ અને ક્રુરતાપૂર્ણ છે. તંત્ર વિદ્યાથી મૃત વ્યક્તિ જીવિત થાય આ વાતો વાહિયાત છે. માત્રને માત્ર લોકોને ભ્રમિત કરવાના ઉદ્દેશ્યથી આવી વાતો કરવામાં આવે છે. 21મી સદીમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે વિજ્ઞાન જાથા સરકારને રજૂઆત કરશે અને તે વિસ્તારમાં લોક જાગૃતિનો કાર્યક્રમ આપી લોકોને અંધશ્રદ્ધા અંગે માહિતગાર કરશે.

વિથ ઇનપુટ ક્રેડિટઃ યોગેશ જોષી, ગીર સોમનાથ ટીવી9

Latest News Updates

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
g clip-path="url(#clip0_868_265)">