Gir Somnath: ધાવા ગામે તાંત્રિક વિધિના નામે 14 વર્ષની કિશોરીની હત્યાને પગલે લોકોમાં આક્રોશ

Gir Somnath: ગીર સોમનાથના ધાવા ગામે તાંત્રિક વિધિના નામે 14 વર્ષિય દીકરીની હત્યાને પગલે સર્વ સમાજના લોકોમાં આક્રોષ ફેલાયો છે. તાલાલા ખાતે આસપાસના ગામના લોકોએ મોટી સંખ્યામાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

Gir Somnath: ધાવા ગામે તાંત્રિક વિધિના નામે 14 વર્ષની કિશોરીની હત્યાને પગલે લોકોમાં આક્રોશ
ગીર સોમનાથ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2022 | 11:11 PM

ગીર-સોમનાથ (Gir Somnath) ના ધાવા ગામે તાંત્રિક વિધિના નામે 14 વર્ષીય દીકરીની હત્યાને પગલે સર્વ સમાજના લોકોમાં આક્રોશ ફેલાયો છે. તાલાલા ખાતે આસપાસના ગામના લોકોએ મોટી સંખ્યામાં આક્રોશ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું. સ્થાનિકોએ તાંત્રિકવિધિ અંગેની વિગતવાર તપાસ સીબીઆઈ (CBI) પાસે કરાવવાની માગણી કરી. આ ચકચારી કેસમાં સ્થાનિકોએ સંડોવાયેલા વધુ આરોપીઓને ઝડપી કડક સજા કરાવવાની માગ કરી. અંધશ્રદ્ધાના ખપ્પરમાં કોઈ પણ સમાજની દીકરીની હત્યા (Murder) ન થાય તે માટે દાખલારૂપ કાર્યવાહી કરવાની પોલીસે પણ ખાતરી આપી છે.

આ ચકચારી ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. માસૂમ દીકરીની હત્યાને કેવી રીતે અંજામ અપાયો તેના પર નજર કરીએ તો 14 વર્ષીય ધૈર્યાને વળગાડ હોવાની આંશકાને પિતા જૂનાં કપડાં સાથે વાડીએ લઈ ગયા હતા.અને ત્યારબાદ કપડાં તથા અન્ય સામાન સળગાવી બે કલાક સુધી માસૂમને નજીક ઊભી રાખી હતી.જેને કારણે માસૂમના પગમાં તથા હાથમાં ફોડલા પડવા લાગતાં રાડો પાડી હતી. ત્યારે માસૂમને ધમકાવી શાંત કરી હતી. બાદમાં એ જ દિવસે આખી રાત વળગાડ કાઢવા માટેની વિધિ કરી હતી. ત્યાર પછી બીજા દિવસે ધૈર્યાને લાકડી અને વાયર વડે માર મારી માથાના વાળમાં ગાંઠો મારી લાકડી બાંધી હતી..7 દિવસ સુધી માસૂમ દીકરીને ખાવા-પીવાનુ કે પાણી આપ્યું નહોતું..જેથી માસૂમનું મોત થયું હતુ

આ ઘટનામાં ગીર સોમનાથ પોલીસે સુરતથી સાહિબ રાવ વાનખેડે નામના શખ્સની અટકાયત કરી છે. આ શખ્સે હત્યારા પિતાને તાંત્રિક વિદ્યા શીખવી હોવાની આશંકા છે. હત્યારા ભાઈએ આ અંગેની કબુલાત કરી છે. અગાઉ LCB પોલીસે ભરૂચ પાસેથી એક તાંત્રિકની અટકાયત કરી હતી. 14 વર્ષિય ધૈર્યાને વળગાડ હોવાની આશંકાએ પિતા અને તેના મોટા બાપુજીએ જ મોતને ઘાટ ઉતારી હોવાનો ખૂલાસો થયો છે. આટલી મોટી ઘટનામાં હત્યારા પિતાએ દીકરીના મોત બાદ તેના અંતિમ સંસ્કાર કર્યા બાદ જ તેના પિતાને જાણ કરી હતી અને ચેપી રોગથી મોત થયુ હોવાનું કુટુંબીજનોને જણાવ્યુ હતુ. આ ઘટસ્ફોટ બાદ માસૂમ દીકરીના નાનાએ જમાઈ અને મોટાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાલ દીકરીના પિતા અને મોટા બાપુજી પોલીસ સકંજામાં છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">