જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્યકર્મીઓની હડતાળ યથાવત, સરકાર પરિપત્ર ન કરે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાનો નિર્ણય

Gandhinagar: જિલ્લા પંચાયત હસ્તકના કર્મચારીઓએ ફરી હડતાળ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. આરોગ્ય કર્મચારી મહામંડળે જણાવ્યુ છે કે સમય મર્યાદા રદ્દ કરી સરકાર પરિપત્ર જાહેર કરશે ત્યારબાદ જ તેઓ હડતાળ પરત ખેંચશે.

જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્યકર્મીઓની હડતાળ યથાવત, સરકાર પરિપત્ર ન કરે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાનો નિર્ણય
આરોગ્યકર્મીઓની હડતાળ યથાવત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2022 | 8:25 PM

જિલ્લા પંચાયત (Jilla Panchayat) હસ્તકના આરોગ્ય કર્મચારીઓ ફરી એકવાર હડતાળ (Strike) પર ઉતરશે. જિલ્લા હસ્તકના આરોગ્ય કર્મચારીઓએ (Health Workers) તેમની હડતાળ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘે સરકારને એક પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યુ છે કે 30મી ઓગષ્ટે સરકાર સાથે બેઠક બાદ હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. પરંતુ કર્મચારીઓમાં અસંતોષ યથાવત છે. કર્મચારીઓને સમજાવ્યા છતા તેઓ માન્યા નહીં અને હડતાળ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

સરકાર પરિપત્ર જાહેર કરે ત્યારબાદ જ હડતાળ પરત ખેંચવાનો નિર્ણય

આરોગ્ય કર્મચારી મહામંડળ સંઘના પ્રમુખે ચીમકી ઉચ્ચારી છે કે સમયમર્યાદા રદ્દ કરી સરકાર પરિપત્ર જાહેર કરશે, ત્યારબાદ જ હડતાળ પરત ખેંચીશુ. સરકાર 10 દિવસમાં ઠરાવ કરે તો કર્મચારીઓ હડતાળ પરત ખેંચવા અંગે વિચારશે.

સરકાર સમય મર્યાદા રદ્દ કરી પરિપત્ર જાહેર કરે તેવી માગ

ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યુ કે 30 ઓગસ્ટે થયેલી વાટાઘાટો દરમિયાન અમે નિવેદન આપ્યુ હતુ કે આરોગ્ય કર્મચારી મહાસંઘની હડતાળ પરત ખેંચાશે , એ નિવેદનને હું પરત લઉ છુ. આ દરમિયાન તેમણે દિલગીરી વ્યક્ત કરતા જણાવ્યુ કે હાલ અમારી હડતાળ યથાવત જ છે અને સરકારના પરિપત્ર બાદ જ હડતાળ પરત ખેંચાશે. તેમણે માગ કરી કે સરકાર સમય મર્યાદા રદ્દ કરી જલ્દીથી પરિપત્ર કરી અમારા પ્રશ્નનો ઉકેલ લાવે તો અમે હડતાળ પૂર્ણ કરીશુ તેવી માગ કરી છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

એક મહિનામાં માગણીઓનો ઉકેલ લાવવા જીતુ વાઘાણીએ આપી હતી હૈયાધારણા

આપને જણાવી દઈએ કે 5 મંત્રીઓની રચાયેલી કમિટીમાં સહમતી સધાતા આરોગ્યકર્મીઓએ હડતાળ સમેટવાનો નિર્ણય કર્યો હતો. રાજ્યમાં વિવિધ કર્મચારી સંગઠન દ્વારા ચાલી રહેલા આંદોલનોને શાંત પાડવા પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જેમાં પાંચ મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં જીતુ વાઘાણી, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, બ્રિજેશ મેરજા, અને નિમીષાબેન સુથારનો સમાવેશ કરાયો છે. આ પાંચ મંત્રીઓની કમિટીએ આરોગ્યકર્મીઓની વિવિધ માગણી સંદર્ભે વિગતે ચર્ચા કરી હતીઅને આગામી એક મહિનામાં હકારાત્મક નિર્ણય કરવાની હૈયાધારણા આપી હતી.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ 30 ઓગસ્ટે થયેલી વાટાઘાટો દરમિયાન જણાવ્યુ  હતુ કે પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય કર્મીઓ દ્વારા જે માંગણીઓ કરાઈ છે, જેમાં તેમને ટેકનિકલ ગણવા, ફેરણી ભથ્થું તથા કોરોના કાળ દરમિયાન રજામાં બજાવેલ ફરજોનો પગાર આપવા માટેની જે મહત્વની માગણીઓ હતી તે તમામ માગણીઓ સ્વીકારી તે સંદર્ભે રાજ્ય સરકાર આગામી એક માસમાં હકારાત્મક રીતે નિર્ણય લેશે. એટલે સૌ કર્મીઓને હડતાલ પાછી ખેચીને જનસેવામાં જોડાવવા અપીલ કરતા એસોસીએશને હડતાળ સમેટવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ આજે ફરી પંચાયતના આરોગ્ય કર્મીઓએ હડતાળ યથાવત રાખવાની જાહેરાત કરી છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">