કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat election) નજી ક આવતા PM નરેન્દ્ર મોદી (PM Narendra modi) સહિત મોટા નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે.અમિત શાહની વાત કરીએ તો જુલાઇ મહિનામાં જ તેનો આ બીજો ગુજરાત પ્રવાસ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Home minister Amit Shah) આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ (Amit shah gujarat visit) અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ 10 વાગે ગાંધીનગરમાં આયોજીત વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે.અમિત શાહના પહેલા દિવસના કાર્યક્રમ પર નજર કરીએ તો સવારે પોણા અગ્યાર વાગે ગાંધીનગરમાં (Gandhinagar) વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત CCTV કેમેરા આધારિત સર્વેલેન્સ એન્ડ ઈન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના રાજ્યકક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ‘ત્રિનેત્ર’નું (trinetra) ઉદઘાટન કરશે.
જાણો ગૃહપ્રધાનનો સમગ્ર કાર્યક્રમ
તો બપોરે બે વાગ્યે ગાંધીનગર જિલ્લાના વિદ્યાર્થીઓ માટે અક્ષયપાત્ર સંસ્થાના ઔદ્યોગિર રસોડાનું ઉદઘાટન કરવાના છે.બાદમાં બપોરે 2.25 વાગે મહાત્મા ગાંધી પુસ્તકાલયના (library) નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરશે. તેમજ બપોરે પોણા ત્રણ વાગે માણસાની સિવિલ હોસ્પિટલની (Civil hospital mansa) મુલાકાત લેશે અને ચાર વાગે ચંદ્રાસર તળાવની પણ મુલાકાત લેશે.
એક જ મહિનામાં અમિત શાહનો બીજો ગુજરાત પ્રવાસ
તમને જણાવી દઈએ કે,ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat election) નજી ક આવતા PM નરેન્દ્ર મોદી (PM Narendra modi) સહિત મોટા નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે.અમિત શાહની વાત કરીએ તો જુલાઇ મહિનામાં જ તેનો આ બીજો ગુજરાત પ્રવાસ છે. અમિત શાહ આ અગાઉ 1 અને 2 જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. 1 જુલાઇના રોજ રથયાત્રામાં અમિત શાહે હાજરી આપી હતી. આ દિવસે જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પ્રચારનો શુભારંભ કરી દીધો હતો. સાથે જ ગૃહ પ્રધાને સાણંદમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકોને વર્તમાન ધારાસભ્ય કનુ પટેલને (Kanu patel) જંગી બહુમતીથી જીતાડવા માટે સ્થાનિકોને અપીલ કરી હતી. બે દિવસના પ્રવાસમાં તેમણે વિવિધ સ્થળોએ લોકાર્પણો અને ખાતમુહુર્તો કર્યાં હતા.