PM Modi Mother passed away : પીએમ મોદીના માતા હીરા બાનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન, શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓએ સંવેદના વ્યક્ત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM MODI)માતા હીરાબાનું વહેલી સવારે નિધન થયું છે. ત્યારે હીરાબાના પાર્થિવદેહને પીએમ મોદી દ્વારા મુખાગ્નિ આપવામાં આવ્યો છે. અને, હીરાબાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું વહેલી સવારે નિધન થયું છે. ત્યારે હીરાબાના પાર્થિવદેહને પીએમ મોદી દ્વારા મુખાગ્નિ આપવામાં આવ્યો છે. અને, હીરાબાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. ત્યારે માતાના નિધન પર પીએમ મોદીને દેશભરના નેતાઓ સહિત મહાનુભાવોએ સાંત્વના આપી હતી.
શંકરસિંહ વાઘેલાએ પીએમ મોદીને ગળે મળી આપી સાંત્વના
હીરા બાના અંતિમ ક્રિયા સમયે પૂર્વ CM શંકરસિંહ વાઘેલા પણ સ્થળ પર પહોંચ્યા હતા અને હીરા બાના પાર્થિવ દેહ પર પોત ઓઢાળ્યુ હતુ. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે મળીને સંવેદના વ્યક્ત કરી હતી.
શંકરસિંહ વાઘેલાએ PMને ગળે મળીને હીરા બાના નિધન પર સંવેદના વ્યક્ત કરી#PMModiMother #PMModi #HeerabenModi #Gandhinagar #Gujarat #TV9News pic.twitter.com/m9FeuaalNc
— Tv9 Gujarati (@tv9gujarati) December 30, 2022
ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટ કર્યું, હીરાબાને આપી શ્રદ્ધાંજલિ-
માતા વ્યક્તિના જીવનની પ્રથમ મિત્ર અને શિક્ષક હોય છે. જેને ગુમાવવાનું દુઃખ એ બેશક દુનિયાનું સૌથી મોટું દુઃખ છે.
Union Home Minister Amit Shah expresses grief over the demise of PM Narendra Modi’s mother Heeraben Modi. pic.twitter.com/TBJrxTCxAH
— ANI (@ANI) December 30, 2022
સી.આર.પાટીલે ટ્વીટ કરીને આપી શ્રદ્ધાંજલિ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં પૂજ્ય માતૃશ્રી હીરાબાનાં દેવલોકગમનથી ઘેરા શોકની લાગણી અનુભવું છું.
વાત્સલ્યમૂર્તિ હીરાબાનાં સંસ્કારમૂલ્યોને વંદન કરું છું. ઇશ્વર એમનાં દિવંગત પુણ્યાત્માને શાંતિ પ્રદાન કરે એવી પ્રાર્થના કરું છું.
ઓમ શાંતિ !
— C R Paatil (@CRPaatil) December 30, 2022
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
प्रधानमंत्री नरेंद मोदी जी की माताजी, श्रीमती हीरा बा के निधन का समाचार अत्यंत दुःखद है।
इस मुश्किल समय में, मैं उन्हें और उनके परिजनों को अपनी गहरी संवेदनाएं और प्यार व्यक्त करता हूं।
— Rahul Gandhi (@RahulGandhi) December 30, 2022
રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન મોદીના માતા હીરાબાનું સો વર્ષનું સંઘર્ષમય જીવન ભારતીય આદર્શોનું પ્રતીક છે. શ્રી મોદીજીએ માતૃદેવોભવની ભાવના કેળવી અને હીરાબાના મૂલ્યોને પોતાના જીવનમાં ઘડ્યા. પવિત્ર આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.
प्रधानमंत्री श्री नरेंद्र मोदी की मां हीराबा का सौ वर्षों का संघर्षपूर्ण जीवन भारतीय आदर्शों का प्रतीक है। श्री मोदी ने ‘#मातृदेवोभव‘ की भावना और हीराबा के मूल्यों को अपने जीवन में ढाला। मैं पुण्यात्मा की शांति के लिए प्रार्थना करती हूं। परिवार के प्रति मेरी संवेदनाएं!
— President of India (@rashtrapatibhvn) December 30, 2022