Gujarat માં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમનો વ્યાપ વધ્યો, હવે 18 વર્ષ સુધીના વિધાર્થીઓનો સમાવેશ
હવે રાજ્યની તમામ શાળા, કોલેજ, આઈટીઆઈ અને ડિગ્રી- ડિપ્લોમામાં સંસ્થાના 18 વર્ષ સુધીના દોઢ કરોડથી વધુ વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત(Gujarat) સરકારે યુવાનોની આરોગ્ય(Health)ની ચિંતા કરીને હવે માત્ર શાળા કક્ષા સુધી સીમિત શાળા આરોગ્ય તપાસણી(School Health Programme)કાર્યક્રમનો વિસ્તાર કર્યો છે . જેમાં હવે રાજ્યની તમામ શાળા, કોલેજ, આઈટીઆઈ અને ડિગ્રી- ડિપ્લોમામાં સંસ્થાના 18 વર્ષ સુધીના દોઢ કરોડથી વધુ વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દરમ્યાન ગંભીર બિમારી ધરાવતાં વિદ્યાર્થીઓને લાખો રૂપિયાની વિનામૂલ્યે સારવાર રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવશે.
આ અંગે ગાંધીનગરમાં મળેલી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમની સ્ટિયરિંગ કમિટીની બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત 18 વર્ષની ઉમરના શાળાએ જતા અને ન જતા વિદ્યાર્થીઓને આવરી લેવાતા હતા. આ વર્ષે 18 વર્ષની ઉમરના કોઈપણ ક્ષેત્રે અભ્યાસ કરતા એટલે કે, આઇ.ટી.આઇ., કોલેજ, ડીગ્રી-ડીપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ આવરી લઇ વિનામૂલ્યે સારવાર આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે વિદ્યાર્થીઓને કિડની, હ્રદય, કેન્સર જેવા ગંભીર રોગોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય તેમને પણ રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે સારવાર પુરી પાડવામાં આવે છે. જે અંતર્ગત કેટલાક ગંભીર રોગોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું થાય તે અંગેનું નિદાન 18 વર્ષ પહેલા થઇ ગયુ હોય પરંતુ ટ્રાન્સપ્લાન્ટ અંગેનું ઓર્ગન 18 વર્ષ બાદ મળે તો પણ આવા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સારવાર આપવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજય સરકારની પ્રેસ રીલીઝ મુજબ આ કાર્યક્રમ હેઠળ વર્ષ 2019-20માં 1 કરોડ 59 લાખ 61 હજાર 906 બાળકોના આરોગ્યની તપાસ કરાઇ હતી. જેમાં 28 લાખ 55 હજાર 447 બાળકોને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી તથા 2 લાખ 65 હજાર 004 બાળકોને સંદર્ભ સેવાનો લાભ અપાયો છે. 98 હજાર બાળકોને વિના મૂલ્યે ચશ્માનું વિતરણ કરાયુ હતું.
આ ઉપરાંત 20 હજાર 674 બાળકોને હૃદયરોગ, 2869 બાળકોને કિડનીરોગ, 1855 બાળકોને કેન્સર રોગ, 822 ક્લેપ લીપ-પેલેટ, 1152 ક્લબ ફૂટની સારવાર અપાઇ હતી. જ્યારે 25 બાળકોને કિડનીનું પ્રત્યારોપણ, 163 કોકલીયર ઇમ્પલાન્ટ તથા 22 બાળકોના બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટની સંપૂર્ણ સારવાર વિના મૂલ્યે રાજ્ય સરકારે પૂરી પાડી હતી.
આ પણ વાંચો : UPSC ESIC Recruitment 2021: UPSC તરફથી નાયબ નિયામકની જગ્યા માટે બહાર પાડવામાં આવી ભરતી, જાણો તમામ વિગત
આ પણ વાંચો : Mumbai : દુલ્હનની જેમ શણગારવામાં આવ્યુ અનિલ કપૂરનું ઘર, આજે પુત્રી રિયા લગ્નના તાંતણે બંધાશે