Gandhinagar: ઔદ્યોગિક વસાહતોમાં કામ કરતા શ્રમિકોના માથે હવે છતનું નિર્માણ, શ્રમનિકેતન યોજના થકી મળશે રહેઠાણ

ગુજરાત સરકાર (Government of Gujarat) દ્વારા ઔદ્યોગિક વસાહતોમાં રોજગારી મેળવતા શ્રમયોગીઓ (Laborers) માટે ચિંતા કરવામાં આવી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) આ શ્રમયોગીઓની ચિંતા કરીને શ્રમનિકેતન યોજના અમલમાં મુકી છે.

Gandhinagar: ઔદ્યોગિક વસાહતોમાં કામ કરતા શ્રમિકોના માથે હવે છતનું નિર્માણ, શ્રમનિકેતન યોજના થકી મળશે રહેઠાણ
મુખ્યપ્રધાનના માર્ગદર્શન હેઠળ શ્રમમિકેતન યોજનાની શરુઆત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2022 | 12:36 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Chief Minister Bhupendra Patel) માર્ગદર્શનમાં રાજયની ઔદ્યોગિક વસાહતોમાં (Industrial estates) રોજગારી મેળવતા શ્રમયોગીઓ (Laborers) અને તેમના આશ્રિતો માટે એક અભિનવની પહેલ કરી છે. રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સંચાલિત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમનિકેતન યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત જે ઔદ્યોગિક વસાહતોમાં 15 હજારથી વધુ શ્રમિકો કાર્યરત હોય તેવી ઔદ્યોગિક વસાહતોમાં શ્રમયોગીઓને રહેવા માટે આવા શ્રમનિકેતન ઉભા કરવામાં આવશે. સરકારના માર્ગ દર્શન હેઠળ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલમાં મુકાયેલી યોજનાથી શ્રમયોગીઓને તેમના રહેઠાણની ચિંતા નહીં રહે.

શ્રમનિકેતન યોજના અમલમાં

ગુજરાત સરકાર દ્વારા ઔદ્યોગિક વસાહતોમાં રોજગારી મેળવતા શ્રમયોગીઓ માટે ચિંતા કરવામાં આવી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આ શ્રમયોગીઓની ચિંતા કરીને શ્રમનિકેતન યોજના અમલમાં મુકી છે. આ યોજના અંતર્ગત દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં મોટાપાયે કાર્યરત ઉદ્યોગોમાં રોજગારી માટે આવતા અન્ય રાજ્યોના શ્રમયોગીઓ સહિતના શ્રમયોગીઓને આવી શ્રમ નીકેતન હોસ્ટેલ આવાસની સુવિધા પૂરી પાડશે. શ્રમયોગીઓના જીવનધોરણને ધ્યાને લેતા તેમની રહેવા માટેની મુશ્કેલી આવી હોસ્ટેલથી મહદઅંશે નિવારી શકાશે.

શ્રમનિકેતનના આરંભ માટે ગાંધીનગરમાં MoU

ગુજરાતમાં આવા પ્રથમ શ્રમનિકેતન હોસ્ટેલનો આરંભ થશે. જે માટે સાણંદ જી.આઇ.ડી.સી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન અને વેલ્ફેર કમિશનર, શ્રમયોગી કલ્યાણ બોર્ડ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં MoU સંપન્ન થયા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

શ્રમયોગી હોસ્ટેલની ખાસિયત

  1. આ શ્રમયોગી હોસ્ટેલ ગ્રાઉન્ડ ફલોર ઉપરાંત 7 માળની બનશે અને 4138 સ્કવેર મીટરમાં નિર્માણ પામશે.
  2. શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર એ મલ્ટીપરપઝ હોલ, ડાઇનીંગ હોલ જેવી અદ્યતન સુવિધા ધરાવતી હોસ્ટેલ હશે.
  3. આ હોસ્ટેલમાં અંદાજે 1 હજાર ઉપરાંત શ્રમયોગીઓ રહી શકે તેવી વ્યવસ્થા કરાશે.
  4. આ હોસ્ટેલ-શ્રમનિકેતન અંદાજે 10 કરોડ રૂપિયાના ખર્ચે પીપીપી ધોરણે 28 મહિનામાં પૂર્ણ કરાશે.
  5. સાણંદ જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના સહયોગથી નિર્માણ પામશે
  6. એટલું જ નહિ, સિંગલ ઓક્યુપન્સી, ડબલ ઓક્યુપન્સી તથા 4,8,12 અને 24 વ્યક્તિઓ રહી શકે તેવા રૂમ બનાવાશે

શ્રમનિકેતન યોજના માટેના આ એમ.ઓ.યુ પર સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખ અજીતભાઈ શાહ અને રાજ્ય સરકાર વતી વેલ્ફેર કમિશ્નર દિગંત બ્રહ્મભટે હસ્તાક્ષર કર્યા હતા. આ MoU પર હસ્તાક્ષર થવાના અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ ડૉ. અંજુ શર્મા, લેબર કમિશનર અનુપમ આનંદ ઉપસ્થિત રહ્યા હતા.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">