Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસોનો ક્રમ યથાવત, નવા 2875 કેસ, 14 દર્દીઓના મૃત્યુ
Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોનાના 2875 નવા કેસ આવવાની સાથે એક્ટીવ કેસ 15135 થયા.
Gujarat Corona Update : રાજ્યમાં કોરોના સંક્રમણની ગતિ યથાવત છે. રાજ્યમાં 27 માર્ચ બાદ કોરોનાના કેસો ઉત્તરોત્તર સપાટી પાર કરી રહ્યા છે.27 માર્ચે 2276, 28 માર્ચે 2270, 29 માર્ચે 2252, 30 માર્ચે 2220, 31 માર્ચે 2360 અને 1 એપ્રિલે 2410 કેસ 2જી એપ્રિલે 2640 અને 3જી એપ્રિલે 2815 નવા કેસ આવ્યાં બાદ આજે 4 એપ્રિલે પણ 2800થી વધુ નવા કેસ સામે આવ્યાં છે.
2875 કેસ, 14 દર્દીઓના મૃત્યુ રાજ્યમાં આજે 4 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Corona ના નવા 2875 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 14 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં સુરતમાં સૌથી વધુ 8, અમદાવાદમાં 4 અને અમરેલી તથા વડોદરામાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં આજના નવા કેસો સાથે અત્યાર સુધીમાં નોધાયેલા કોરોનાના કેસોની સખ્યા 3,18,438 થઇ છે.
અમદાવાદમાં 664 અને સુરતમાં 545 કેસ રાજ્યમાં આજે 4 એપ્રિલે નોધાયેલા Coronaના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 664, સુરતમાં 545, વડોદરામાં 309 અને રાજકોટમાં 233 કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવનો ક્રમ યથાવત રહ્યો છે.
એક્ટીવ કેસ વધીને 15135 થયા રાજ્યમાં Coronaના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. 3 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 13,298 એક્ટીવ કેસ હતા, જે આજે 4 એપ્રિલે વધીને 15135 થયા છે.જેમાં 16 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 14,972 લોકોની સારવાર ચાલી રહી છે.
2024 દર્દીઓ સાજા થયા રાજ્યમાં આજે 4 અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 2024 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 2,98,737 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 93.81 ટકા થયો છે.
#Gujarat #CoronaUpdate 2875 new #Covid19 cases 2024 recovered, 14 deaths
Ahmedabad 664 Surat 545 Vadodara 309 Rajkot 233 Surat Dist 179
Total active cases 15135 Stable 14972, Ventilator 163
277888 Vaccinated Today Total Vaccinations 💉 6489441 First Dose 783043 Second Dose pic.twitter.com/5JBQj0hmoV
— Kalpak Kekre (@Kalpakkekre) April 4, 2021
આજે 2,27,888 લોકોને કોરોનાની રસી અપાઈ રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે 4 અપ્રિલના દિવસે કુલ 2,27,888 લોકોને રસી અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 64,89,441 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 7,83,043 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં 45થી વધુ વર્ષના તમામ લોકોને રસી આપવાનો આજ ચોથો દિવસ હતો. રાજ્યમાં આજે 45 થી 60 વર્ષના કુલ 2,28,674 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 17,362 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 72,72,484 લોકોને કોરોનાની રસી અપાઈ છે.