Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોનાના 1207 નવા કેસ, 17 મૃત્યુ, એક્ટિવ કેસ 25 હજારથી નીચે
Gujarat Corona Update : રસીકરણ અભિયાન અંતર્ગત રાજ્યમાં આજે 1,75,359 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું.
Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો અને સાથે મૃત્યુમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે 3 જૂન ના રોજ 1300 થી પણ ઓછા નવા કેસો નોંધાયા છે, આ સાથે 3018 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં એક્ટીવ કેસોની સંખ્યા ઘટીને 25 હજારથી પણ નીચે થઇ ગઈ છે.
1207 નવા કેસ, 17 મૃત્યુ રાજ્યમાં આજે 3 જૂનના રોજ કોરોનાના નવા 1207 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 17 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,11, 684 થઇ છે અને મૃત્યુઆંક 9890 થયો છે. આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો
અમદાવાદ : શહેરમાં 4, જિલ્લામાં 0 મૃત્યુ સુરત : શહેરમાં 1, જિલ્લામાં 1 મૃત્યુ વડોદરા : શહેરમાં 1, જિલ્લામાં 1 મૃત્યુ રાજકોટ : શહેરમાં 0, જિલ્લામાં 1 મૃત્યુ જામનગર : શહેરમાં 1, જિલ્લામાં 1 મૃત્યુ જુનાગઢ : શહેરમાં 0, જિલ્લામાં 0 મૃત્યુ ભાવનગર : શહેરમાં 0, જિલ્લામાં 1 મૃત્યુ ગાંધીનગર : શહેરમાં 0, જિલ્લામાં 0 મૃત્યુ
અમદાવાદમાં 191, વડોદરામાં 132 નવા કેસ રાજ્યમાં આજે 3 જૂનના રોજ અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 191, વડોદરામાં 132, સુરતમાં 80, રાજકોટમાં 57, જામનગરમાં 31, જુનાગઢમાં 25 અને ભાવનગરમાં કોરોનાના માત્ર 8 નવા કેસ નોધાયા છે. (Gujarat Corona Update)
#GujaratCoronaUpdate#COVID19Dashboard 1207 New cases 3018 Discharged 17 Deaths reported 24404 Active Cases,429 on ventilator 1,75,359 Got Vaccine Today 98288 people between 18-44 got first dose@MoHFW_INDIA @CMOGuj @Nitinbhai_Patel @JpShivahare @DrNilamPatel04 @DDNewsGujarati pic.twitter.com/RwbHeEAkRf
— GujHFWDept (@GujHFWDept) June 3, 2021
3018 દર્દીઓ સાજા થયા રાજ્યમાં આજે 3 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 3018 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,78,,976 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 95.78 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 25 હજારથી નીચે 24,404 થયા છે, જેમાં 429 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 23,975 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.(Gujarat Corona Update)
આજે 1,75,359 લોકોનું રસીકરણ થયું રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત રાજ્યમાં આજે 3 જૂનના રોજ 1,75,359 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં
1) 4261 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 2) 4287 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 3) 45 થી વધુ ઉમરના 43,082 લોકોને પ્રથમ ડોઝ, 4) 45 થી વધુ ઉમરના 25,441 લોકોને બીજો ડોઝ, 5) 18-45 વર્ષ સુધીના 98,288 લોકોના પ્રથમ ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)
આ પણ વાંચો : Cause of death : કોરોના મૃતકોના મૃત્યુ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ કોરોના નથી દર્શાવાતું, તો સ્વજનોને સહાય કેવી રીતે મળશે?