Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 544 કેસ, 11 મૃત્યુ, 2,68,485 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું
Gujarat Corona Update : રાજ્યમાં આજે 10 જૂનના રોજ એક્ટીવ કેસ ઘટીને 12,711 થયા છે, અને રીકવરી રેટ વધીને 97.23 ટકા જેટલો થયો છે.
Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો અને સાથે મૃત્યુમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે 10 જૂનના રોજ કોરોનાના 544 નવા કેસ નોંધાયા છે. આ સાથે 1505 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં રસીકરણ અભિયાનમાં આજે 2,68,485 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
544 નવા કેસ, 11 મૃત્યુ રાજ્યમાં આજે 10 જૂનના રોજ કોરોનાના નવા 544 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 11 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,18,895 થઇ છે અને મૃત્યુઆંક 9976 થયો છે.
આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો અમદાવાદ શહેરમાં 2, વડોદરા શહેરમાં 1, સુરત શહેરમાં 1, જયારે રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર અને ગાંધીનગર શહેરમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.
રાજ્યના જિલ્લાઓમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો સુરત, જુનાગઢ, અમરેલી, મહીસાગર, મહેસાણા, જામનગર અને ભાવનગર જિલ્લામાં 1-1 મૃત્યુ નોંધાયું છે.
અમદાવાદમાં 86, વડોદરામાં 61 નવા કેસ રાજ્યમાં આજે 10 જૂનના રોજ અમદાવાદમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 86, વડોદરામાં 61, સુરતમાં 60, રાજકોટમાં 16, જામનગરમાં 17, તથા જુનાગઢમાં 6, ગાંધીનગરમાં 2 અને ભાવનગર કોરોનાનો માત્ર 1 નવો કેસ નોધાયો છે. (Gujarat Corona Update)
#GujaratCoronaUpdate#COVID19Dashboard 544 New cases 1505 Discharged 11 Deaths reported 12711 Active Cases,316 on ventilator 2,68,485 Got Vaccine Today 1,93,582 people between 18-44 got first dose@MoHFW_INDIA @CMOGuj @Nitinbhai_Patel @JpShivahare @DDNewsGujarati @ANI pic.twitter.com/D6lo3SaTC7
— GujHFWDept (@GujHFWDept) June 10, 2021
1505 દર્દીઓ સાજા થયા રાજ્યમાં આજે 10 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 1505 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,96,208 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 97.23 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 12,711 થયા છે, જેમાં 316 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 12,395 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.(Gujarat Corona Update)
આજે 2,68,485 લોકોનું રસીકરણ થયું રાજ્યમાં આજે 10 જૂનના રોજ રસીકરણ અભિયાનમાં 2,68,485 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં
1) 1604 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 2) 4942 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 3) 45 થી વધુ ઉમરના 35,359 લોકોને પ્રથમ ડોઝ, 4) 45 થી વધુ ઉમરના 32,998 લોકોને બીજો ડોઝ, 5) 18-45 વર્ષ સુધીના 1,78,322 લોકોને પ્રથમ ડોઝ, 6) 18-45 વર્ષ સુધીના 15,260 લોકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)