ગુજરાતના કોરોનાના નવા 380 કેસ, એક્ટિવ કેસ 2098 પહોંચ્યા
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોના સતત વધી રહેલા કેસો વચ્ચે રાહતના સમાચાર છે. જેમાં 24 જુનના રોજ કોરોનાના નવા 380 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2098 થવા પામી છે. જેમ અમદાવાદ સૌથી વધુ 55 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં(Gujarat) છેલ્લા બે દિવસથી કોરોના(Corona) સતત વધી રહેલા કેસો વચ્ચે આંશિક રાહતના સમાચાર છે. જેમાં 24 જુનના રોજ કોરોનાના નવા 380 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2098 થવા પામી છે. જેમા અમદાવાદ સૌથી વધુ 155 કેસ નોંધાયા છે.જ્યારે સુરતમાં 59, વડોદરામાં 34, નવસારીમાં 16, સુરત જિલ્લામાં 15, વલસાડમાં 11, ભાવનગરમાં 09, બનાસકાંઠામાં 07, ભરૂચમાં 07, ગાંધીનગરમાં 07, રાજકોટમાં 07, આણંદમાં 06, સુરેન્દ્રનગરમાં 06, વડોદરા જિલ્લામાં 06, જામનગરમાં 05, અરવલ્લીમાં 04, કચ્છમાં 04, મોરબીમાં 04, અમરેલીમાં 03, પોરબંદરમાં 03, અમદાવાદ જિલ્લામાં 02, ભાવનગર જિલ્લામાં 02, ગાંધીનગર જિલ્લામાં 02, દાહોદમાં 01, ગીર-સોમનાથમાં 01, જામનગર જિલ્લામાં 01, ખેડામાં 01, મહેસાણામાં 01, અને તાપીમાં 01 કેસ નોંધાયો છે.
રાજ્ય સરકારની ચિંતા પણ વધારો
જેના લીધે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. આ તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઇકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો
ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો જોઈએ. કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોએ હાજર રહેવાની જરૂર જ નથી. ગુજરાત સરકાર કોરોના નિયમોનો પાલન કરાવે છે ત્યારે લોકોએ પણ વધારે સાવચેતી રાખવાની જરૂર છે.
સુરતમાં અત્યાર સુધી શાંત પડેલો કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા
આ ઉપરાંત સુરતમાં અત્યાર સુધી શાંત પડેલો કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાંવધારો થઇ રહયો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્ર્મણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ,ઓપીડી અને સારવારના સાધનો સહીત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે.