ગુજરાતમાં કોરોનાના નવા 459 કેસ, કોરોનાના એક્ટિવ કેસ 4534એ પહોંચ્યા

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)કેસો હજુ યથાવત છે. જેમાં 12 ઓગષ્ટના રોજ કોરોનાના ના 459 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4534 થઈ છે. જયારે આજે કોરોનાથી 922 દર્દીઓ સાજા થયા છે.

ગુજરાતમાં કોરોનાના નવા 459 કેસ, કોરોનાના એક્ટિવ કેસ 4534એ પહોંચ્યા
Gujarat Corona Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 8:31 PM

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)કેસો હજુ યથાવત છે. જેમાં 12 ઓગષ્ટના રોજ કોરોનાના ના 459 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4534 થઈ છે. જયારે આજે કોરોનાથી 922 દર્દીઓ સાજા થયા છે. જયારે કોરોના રિકવરી રેટ 98.77 ટકાએ પહોંચ્યો છે. જયારે અમદાવાદમાં (Ahmedabad)161,વડોદરામાં 36, સુરતમાં 31, રાજકોટમાં 27, કચ્છમાં 20, અમરેલીમાં 16, મહેસાણામાં 16, વડોદરામાં 15, સુરત જિલ્લામાં 14, મોરબીમાં 13, દ્વારકામાં 11, વલસાડમાં 10, ગાંધીનગરમાં 09, નવસારીમાં 09, રાજકોટમાં 09, જામનગરમાં 07, પંચમહાલ માં 07, પોરબંદરમાં 06, ભરૂચમાં 05, ભાવનગરમાં 05, ગાંધીનગર જિલ્લામાં 05, સુરેન્દ્રનગરમાં 04, તાપીમાં 04, અમદાવાદમાં 03, બનાસકાંઠામાં 03, પાટણમાં 03, જામનગરમાં 02, ખેડામાં 02, સાબરકાંઠામાં 02, આણંદમાં 01, અરવલ્લીમાં 01, ભાવનગરમાં 01, અને ગીર સોમનાથમાં 01 કેસ નોંધાયો છે.

તહેવારોના સમયે સાવધાન રહેજો

આ મહિનાથી રાજ્યમાં થોડા થોડા દિવસના અંતરે તહેવારો આવી રહ્યા છે. તે બધા વચ્ચે મેળવડાઓ પણ વધશે અને સંક્રમણ વધવાની શક્યતા પણ છે. તેવામાં લોકોએ એક બીજાથી થોડુ અંતર રાખવુ જોઈએ અને કોરોનાથી બચવા માટેના તમામ પગલા ભરવા જોઈએ. ગયા વર્ષે પણ તહેવારોમાં થતા મેળાવડા અને ચૂંટણીઓમાં થતી ભીડને કારણે કોરોના કેસ વધ્યા હતા. તે ઘટના ફરી ન બને તે માટે સાવચેતી રાખવી જરુરી છે.

કોરોનાના લક્ષણો ધરાવતા દર્દી મુસાફરી ન કરે

જે લોકોને કોરોનાના લક્ષણો હોય તેવા દર્દીઓએ નૈતિક જવાબદારી સમજીને પર્યટન ન કરે અને ઘરે તેવી અપીલ કરાઈ છે. આ ઉપરાંત લોકોને તાત્કાલિક બૂસ્ટર ડોઝ લેવાની પણ અપીલ કરાઈ છે. કોરોના કારણે દેશ અને દુનિયામાં માનસિક, શારીરિક અને આર્થિક રીતે લોકોને ખુબ નુકશાન થયુ છે. જો સાવચેતી નહીં રાખવામાં આવે તો કોરોના ફરી તબાહી મચાવી શકે છે. તેથી યોગ્ય પગલા લઈ, સાવચેતી રાખવી જરુરી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">